Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીની દીકરીનું સપનું પ્લેન સાથે ભસ્મીભૂત થઈ ગયું!:ખંભીસરના પરિવારે જયશ્રીને લંડનની ફ્લાઈ્ટમાં બેસાડી, લગ્નના 4 મહિને વિઝા મળતાં પતિ પાસે જતી હતી

    1 week ago

    અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેનક્રેશની ગોઝારી દુર્ઘટનાને આજે 12 જૂને 1 વર્ષ પૂર્ણ થયું છે. દિવ્યભાસ્કરની ટીમ ભોગ બનેલા મૃતકોના પરિવારજનોની સ્થિતિ જાણવા મોડાસા તાલુકાના ખંભીસર ગામે પહોંચી હતી. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર 23 વર્ષીય જયશ્રી પટેલના ઘરે આજે પણ માતમનો માહોલ જોવા મળ્યો હતો. 1 વર્ષ બાદ પણ દીકરી ગુમાવવાનું દુઃખ જીરવી ન શકતા માતા-પિતા આજે પણ જયશ્રીનો ફોટો હાથમાં રાખી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. ત્યારે કંપનીએ નોકરી આપવાનું વચન ન પાળ્યાનો આક્ષેપ કરી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટના 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (SVPIA)નજીક ભારતની સૌથી મોટી અને અત્યંત કરુણ વિમાન દુર્ઘટનાઓમાંથી એક ઘટી હતી. અમદાવાદથી લંડન (ગેટવિક) જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) ટેકઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. અસારવાની બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન તૂટી પડ્યું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. માત્ર એક મુસાફરનો જ ચમત્કારિક બચાવ થયો હતો. વિદેશ જવાનું સપનું કાળમાં ફેરવાયું ખંભીસર ગામની જયશ્રી નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી. ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા માતા મીનાબેન અને પિતા મુકેશભાઈએ કાળી મજૂરી કરીને જયશ્રી અને તેના નાના ભાઈ જયકીતને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. જયશ્રીને નાનપણથી જ વિદેશ જવાની ઈચ્છા હોવાથી તેના લગ્ન મોડાસાના ડુંગરવાડા ગામના અને લંડન રહેતા યુવક સાથે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ પતિ લંડન પરત ફર્યા હતા અને જયશ્રીએ પણ વિઝાની પ્રક્રિયા શરૂ કરી હતી. લગ્નના માત્ર 4 મહિનામાં જ તેના વિઝા આવી ગયા હતા. 35 સેકન્ડમાં બધું જ વેરવિખેર થઈ ગયું 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડન જવા માટે જયશ્રીની ટિકિટ કન્ફર્મ થતાં પરિવારમાં ભારે આનંદનો માહોલ હતો. 12 જૂનના રોજ આખો પરિવાર જયશ્રીને વિદાય આપવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યો હતો. એરપોર્ટ પર હરખભેર વિદાય આપ્યા બાદ જયશ્રી બોર્ડિંગ ક્લિયર કરાવી પ્લેનમાં બેસી ગઈ હતી અને પરિવાર વતન પરત ફરવા નીકળ્યો હતો. જોકે, એર ઈન્ડિયાના આ વિમાને ટેકઓફ કર્યાની માત્ર 35 સેકન્ડમાં જ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાન ધડાકાભેર મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈને અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. ભાઈના DNA મેચ થતાં મૃતદેહ મળ્યો પરિવાર હજુ રસ્તામાં જ હતો ત્યાં પ્લેનક્રેશના સમાચાર મળતાં જ તેમના પર આભ ફાટી પડ્યું હતું. આ આઘાત સહન ન થતાં જયશ્રીના પિતા બેભાન થઈ ગયા હતા, જેમને 4 દિવસ હોસ્પિટલમાં રાખવા પડ્યા હતા. હોનારત એટલી ભયાનક હતી કે જયશ્રીના ભાઈના DNA મેચ થયા બાદ જ તેનો મૃતદેહ ઓળખી શકાયો હતો. લગ્ન બાદ પતિ સાથે માંડ 1 અઠવાડિયું વિતાવનાર જયશ્રીનું લંડન પહોંચવાનું સપનું અધૂરું રહી ગયું હતું. પરિવારની વેદના અને માગ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં પરિવારજનોએ જણાવ્યું કે, આખું વર્ષ દીકરીની યાદમાં રડીને વિતાવ્યું છે અને દરેક તહેવારમાં તેની ખોટ સાલે છે. જયશ્રીના ભાઈએ જણાવ્યું કે, સરકારી તંત્ર તરફથી મળનારી સહાય ક્રમશઃ મળી ગઈ છે, પરંતુ ટાટા કંપની દ્વારા મૃતકોના આશ્રિતોને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, જે હજુ સુધી પૂરું થયું નથી. જો પરિવારના સભ્યને નોકરી મળી જાય તો મોટો આશરો થાય તેમ જણાવી સમગ્ર પરિવારે જયશ્રીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સરકાર પૂંજીપતિઓની દલાલી બંધ કરે:વીજ થાંભલાના વિરોધમાં 15મીએ ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરોની મહારેલી, કંપનીઓની દાદાગીરીની સામે 23 કિસાન સંગઠનો સરકારને ઘેરશે
    Next Article
    Uttarakhand Weather Update News | ઉત્તરકાશીમાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ| Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment