Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોમાં ફફડાટ‎:નર્મદાની લાઈનમાં ગટરના પાણી ભળતા 4 દિવસમાં ટાઈફોઈડના 20થી વધુ કેસ

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ઔદ્યોગિક શહેર થાનગઢમાં પીવાના પાણીની લાઈનમાં ગટરના ગંદા પાણી ભળી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં છેલ્લા 3 દિવસમાં ટાઈફોડના 20 જેટલા કેસ નોંધાયા છે. જે આગામી સમયમાં મોટી મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા નર્મદાના નીરમાં ગટરની દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. થાનગઢની અંદાજે 50થી 60 હજારની વસ્તીને દૈનિક 9 એમએલડી નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પાઈપલાઈનમાં ભંગાણ થયું હોય અથવા લીકેજને કારણે ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. વોર્ડ નંબર 6માં ડોક્ટર સતાપરા સાહેબના દવાખાના વિસ્તાર સહિતના રહેણાંક વિસ્તારોમાં નળ વાટે આવતું પાણી અસહ્ય દુર્ગંધ મારી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે ઘટી રહી છે. ટાઈફોડ એ પ્રદૂષિત પાણીથી ફેલાતો રોગ હોવા છતાં પાલિકા તંત્ર ઊંઘતું હોય તેમ જણાય છે. પાણીની પાઇપ લાઇનની તપાસ ચાલુ, રિપેરીંગ કરાશે ગટરનું પાણી પીવાના પાણીની પાઈપ લાઈન અંગે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. જેથી લોકોની સમસ્યા દૂર કરવામાં આવશે. - હિતુભા ગોહિલ, ચીફ ઓફિસર
    Click here to Read More
    Previous Article
    બસમાં આગ લાગવાનો મામલો:ધાનેરામાં બસમાં આગ લાગવાના કારણો શોધવા સેમ્પલ એફએસએલમાં મોકલાયા
    Next Article
    વિરોધ પ્રદર્શન:ભાજપે મળતિયાઓ સાથે મળી ગેસના બાટલાની કૃત્રિમ અછત ઊભી કરી છે : આમ આદમી પાર્ટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment