Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર:વહેલી સવારે 4 વાગ્યે દ્વાર ખૂલતા હજારો ભાવિકોએ દર્શન કર્યા, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર ગુંજ્યું

    16 hours ago

    પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમનાથ મંદિરના દરવાજા સવારે 4 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હજારો ભાવિકોએ મહાદેવના પહેલા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રાવણના છેલ્લા સોમવારના શુભ અવસરે આખું પ્રભાસ તીર્થ ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું. સવારથી જ સોમનાથ મંદિર તરફ જતા રસ્તાઓ પર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. દૂર-દૂરથી આવેલા ભાવિકો ભગવાન સોમનાથના દર્શન કરવા માટે ઉત્સાહથી લાઈનમાં ઊભા હતા. મંદિર પરિસરમાં પ્રવેશતા જ ભક્તોના મોઢેથી ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી આખું વાતાવરણ શિવમય બની ગયું હતું. શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવના દર્શનનું ખાસ ધાર્મિક મહત્વ હોય છે. આથી છેલ્લા સોમવારે ભક્તોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિવાર સાથે આવેલા ભાવિકો ઉપરાંત મોટી સંખ્યામાં શિવભક્તો સવારે વહેલા મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. ભક્તોએ ભગવાન સોમનાથ સામે માથું નમાવી પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ભક્તોની મોટી સંખ્યાને જોતા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષા જવાનો સતત બંદોબસ્ત રાખી રહ્યા હતા. દર્શન વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે જરૂરી ગોઠવણ કરવામાં આવી હતી. ભારે ભીડ હોવા છતાં ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન સોમનાથના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિર ઉપરાંત આખા પ્રભાસ તીર્થમાં પણ સવારથી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિર પરિસર જયઘોષથી ગુંજી ઉઠતા જાણે આખી પ્રભાસ ભૂમિ શિવમય બની ગઈ હોય તેવો નજારો હતો. શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટેલા ભક્તોની ભીડને કારણે સોમનાથમાં આસ્થા, ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હજારો વાહનચાલકોને રાહત મળશે:હરિહર ચોકમાં બોક્સ ક્લવર્ટનું કામ અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં જ ડામરકામ પૂર્ણ થતાં રસ્તો ખુલ્લો મુકાશે
    Next Article
    વલ્લભીપુર મંદિરના ટ્રસ્ટી પર પિતા-પુત્રનો હુમલો:જાહેરાતના રૂ. 6,500ની ઉઘરાણી કરતા રાંદલ માતાજી મંદિરના ટ્રસ્ટીને પાઈપ-પટ્ટાથી માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment