Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટના આકરા વલણ બાદ સુરત મનપા એક્શનમાં:નાસીરનગરના વિસ્થાપિતો માટે વૈકલ્પિક આવાસ શોધવાની કવાયત તેજ, પાલિકા પાસે 390 ખાલી મકાનો

    1 day ago

    નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને પીડિત પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન બાદ સુરત મહાનગરપાલિકા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. કોર્ટ સમક્ષ થઈ રહેલા એક પછી એક આકરા ખુલાસાઓ અને તીખા સવાલોને પગલે હવે પાલિકા પ્રશાસન બેકફૂટ પર આવ્યું છે અને પીડિતો પ્રત્યે નરમ વલણ અપનાવવાની ફરજ પડી છે. કાયદાકીય ગૂંચવણો અને અદાલતી કાર્યવાહીથી બચવા માટે મનપા પ્રશાસને હવે અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવા માટેની પૂર્વ-તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. ખાલી મકાનો શોધવા વિવિધ ઝોનમાં તપાસ શરૂ પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે આશરો પૂરો પાડી શકાય તે માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા રિ-ડેવલપમેન્ટ ટેનામેન્ટ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ તૈયાર થયેલા અને હાલ ખાલી પડેલા મકાનોની વિગતવાર માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ માટે ખાસ ટીમો બનાવીને ખાલી આવાસોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. પાલિકા પાસે 390 મકાનોનો વિકલ્પ ઉપલબ્ધ આ સર્વેક્ષણ દરમિયાન તંત્રને બે મોટા આવાસ પ્રોજેક્ટ્સમાં ખાલી મકાનો મળી આવ્યા છે. હાલની સ્થિતિએ અંદાજે ગોતાલાવાડી ટેનામેન્ટ વિસ્તારમાં 130 મકાનો ખાલી હોવાનું સામે આવ્યું છે. અલથાણ ટેનામેન્ટ વિસ્તારમાં આશરે 260 મકાનો ખાલી પડ્યા હોવાનો સત્તાવાર રિપોર્ટ તૈયાર કરાયો છે. આમ, પ્રાથમિક તબક્કે પાલિકા પાસે કુલ 390 જેટલા મકાનોનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ નાસીરનગરના બેઘર બનેલા લોકોને છત આપવા માટે થઈ શકે તેમ છે. આ એકત્રિત કરાયેલા ડેટાના આધારે આગળની વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ખાલી પડેલા મકાનો ચોક્કસ સરકારી પોલિસી હેઠળ અને નિયમોનુસાર નક્કી કરેલી વ્યાજબી રકમ વસૂલ કરીને મૂળ અસરગ્રસ્ત પરિવારોને ફાળવી શકાય કે નહીં, તે મુદ્દે કાયદાકીય અને વહીવટી મંજૂરી મેળવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. સત્તાવાર ફાઇલ મનપા કમિશનર સમક્ષ મંજૂરી માટે રજૂ કરી હાઈકોર્ટે પૂછેલા આકરા સવાલો અને ફટકાર બાદ સફાળા જાગેલા એફોર્ડેબલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટે આ મામલે ત્વરિત નિર્ણય લેવા માટે આઉટ વર્ડ નં-DAH-130 થી એક સત્તાવાર ફાઇલ તૈયાર કરી મનપા કમિશનર સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરી છે. જો મનપા કમિશનર કક્ષાએથી આ દરખાસ્તને લીલી ઝંડી મળી જશે, તો આગામી સમયમાં તમામ અસરગ્રસ્ત પરિવારોને નિયમોના આધીન રહીને કાયમી અથવા વૈકલ્પિક છત પૂરી પાડવાનું આયોજન સાકાર થશે. 20 જુલાઈની ડેડલાઈન અને મનપામાં ફફડાટ સમગ્ર મામલે પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે જે પ્રકારે રાતોરાત અને ઉતાવળે અહેવાલ તૈયાર કરી કમિશનર સમક્ષ રજૂ કર્યો છે, તેની પાછળ આગામી 20મી જુલાઈની ડેડલાઈન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નામદાર હાઈકોર્ટે મનપા તંત્રને આગામી સુનાવણી એટલે કે 20 જુલાઈ સુધીમાં વિસ્થાપિતોના પુનર્વસન અને વૈકલ્પિક આવાસ આપવા અંગે શું નક્કર તૈયારીઓ કરી છે, તેનો સ્પષ્ટ અને વિગતવાર રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના સંભવિત આકરા વલણ અને કડક પગલાંના ડરથી પાલિકાના ઉચ્ચ અધિકારીઓથી લઈને સમગ્ર કર્મચારી વર્ગમાં ભારે ફફડાટ વ્યાપેલો છે. કેસની સુનાવણી પૂર્વે જ ખાલી આવાસોની ચોક્કસ વિગતો સાથેના આ અહેવાલને આખરી ઓપ આપવા માટે પાલિકાના અધિકારીઓએ રાત-દિવસ એક કરીને કામગીરી શરૂ કરી દીધી છે. હવે આખોય મામલો કમિશનરની મંજૂરી અને 20મી જુલાઈએ હાઈકોર્ટ સમક્ષ રજૂ થનારા સોગંદનામા પર ટકેલો છે.
    Click here to Read More
    Previous Article
    રાજેશ ડાભી ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી બન્યા:લાલપુર કોળી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ
    Next Article
    વિજાપુરમાં રોડ અકસ્માત મામલે ચોંકાવનારો ખુલાસો:પત્ની અને પુત્રીએ સોપારી આપી પતિની હત્યા કરાવી, પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી ભાણીયા સહિત 3ને ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment