Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનજીવન પરેશાન, સવારથી જ ઉકળાટ, ભેજના ફેરફારથી લોકો ત્રસ્ત:ચોમાસાના આગમનમાં વિલંબથી ગરમી વધી : તાપમાન 39 ડિગ્રીએ પહોંચી ગયું

    2 days ago

    સમગ્ર સોરઠ પંથક સહિત જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાના આગમનમાં વિલંબ થવાને કારણે વાતાવરણમાં ભારે અકળામણ જોવા મળી રહી છે. મંગળવારે સવારથી જ સૂર્યનારાયણના આકરા તેવર અને હવામાનમાં આવેલા બદલાવને કારણે ગરમીનો પારો અચાનક ઊંચકાઈ ગયો હતો, જેના લીધે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વરસાદ ખેંચાવાને લીધે વાતાવરણમાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધતાં અસહ્ય સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સવારનું તાપમાન વધીને 28 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ સાથે જ સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 59 ટકા થઈ ગયું હતું. ભેજના પ્રમાણમાં થયેલા આ ઘટાડા અને વધતા તાપમાનના પરિણામે વહેલી સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારો શરૂ થઈ ગયો હતો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. બપોરના સમયે ગરમીનું જોર વધુ આકરું બન્યું હતું. હવામાં 47 ટકા ભેજની હાજરી વચ્ચે દિવસનું મહત્તમ તાપમાન વધીને 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આકરા તાપની સાથે જ દિવસ દરમિયાન પવન પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી સરેરાશ 11 થી 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. ગરમ પવન અને બફારાના બેવડા મારાથી બચવા માટે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ્યું હતું. છેલ્લા 5 દિવસમાં આટલુ તાપમાન શુક્રવારે - 37.5 ડિગ્રી શનિવારે - 37.6 ડિગ્રી રવિવારે - 38.5 ડિગ્રી સોમવારે - 38.6 ડિગ્રી મંગળવારે - 39 ડિગ્રી
    Click here to Read More
    Previous Article
    ઝાંખરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:તાલુકા અને સરકારી માધ્યમિક શાળાનો સંયુક્ત કાર્યક્રમ
    Next Article
    Live: Mumbai Records Over 300 mm Of Rainfall In 24 Hrs; Waterlogging On Railway Tracks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment