Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિગમ્બર જિન મંદિર દ્વારા 382 કિલો કેરી વિતરણ:શ્રમવિસ્તારના બાળકોને ઉનાળામાં કેસર કેરી અપાઈ

    1 day ago

    શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ દ્વારા શ્રમવિસ્તારના બાળકોને 382 કિલો કેસર કેરીનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની પ્રેરણાથી અને શ્રેષ્ઠી દાતાઓના આર્થિક સહયોગથી થયું હતું. છેલ્લા પાંચ વર્ષથી ઉનાળામાં ભીમ અગિયારસ અને આદ્રા નક્ષત્ર પહેલા ઝૂંપડામાં રહેતા તથા રોજ કમાઈને રોજ ખાનારા શ્રમ વિસ્તારના બાળકોને ગીરની કેસર કેરીનું વિતરણ કરવામાં આવે છે. બોટાદના વિવિધ શ્રમ વિસ્તારો જેવા કે પાળીયાદ રોડ પર હસમુખ ફર્નિચર પાછળ, મલ્ટીપ્લેક્સ સામે વાદી વસાહતમાં, કૃષ્ણસાગર તળાવ પાસે, ઢાંકણીયા રોડ, બજણીયા રહેતા વિસ્તારમાં, ભાવનગર રોડ રેલ્વે ફાટક પાસે, તળાવની પાળ પાસે બગીચા સામે વૃદ્ધાશ્રમમાં તથા લાઇબ્રેરીમાં ભણતા બાળકોને કેરીનું વિતરણ કરાયું હતું. આ કાર્યમાં કોરોના વોરિયર્સ ગ્રુપ-બોટાદના સભ્યોએ શારીરિક સેવા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કિયા સેલ્ટોસમાંથી 2 હજાર બોટલ દારૂ ઝડપાયો:બે રાજસ્થાની બૂટલેગરોની 13.79 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ, કલોલ ગાંધીનગર હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા
    Next Article
    Messi Red Card Debate In Focus As Algeria Lodge Official Complaint With FIFA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment