Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:સુરેન્દ્રનગરમાં 36 વર્ષે નવી 17 ટીપી અમલમાં આવશે‎

    13 hours ago

    સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં હાલ માત્ર 3 જ ટીપી અમલમાં છે. શહેરનો વિકાસ જે ગતિએ થઇ રહ્યો છે તે જોતાં નવી 15થી 17 ટીપી માંગ હતી. તેવામાં રતનપર,દૂધરેજ અને વઢવાણમાં મનપા દ્વારા શહેરમાં 2033 હેક્ટર વિસ્તારમાં નવી ટીપી બનાવીને 17 પોઇન્ટ માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, સુરેન્દ્રનગરમાં 1990થી નવી કોઇ ટીપી અમલમાં લેવામાં નથી આવી. સુરેન્દ્રનગર શહેરનો દિવસેને દિવસે વિકાસ થઇ રહ્યો છે. રતનપર બાયપાસ,ખેરાળી રોડ, માળોદ રોડ, લીંબડી રોડ, મૂળચંદ રોડ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થઇ રહ્યાં છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં 1990માં ટીપી જાહેર થઇ હતી. ત્યારબાદ 36 વર્ષમાં નવી ટીપી જાહેર નથી થઇ. હાલ વિમલનાથ સોસાયટીથી માનવ મંદિર વિસ્તાર, ઓમકાર સ્કૂલથી દેશળભગતી વાવ,વઢવાણ નવરંગ સોસાયટીથી 60 ફુટ અને 80 ફૂટ રોડ એમ 3 ટીપી જ અમલમાં છે. શહેરનો જે રીતે વિકાસ થઇ રહયો છે અને શહેરનો રહેણાંક વિસ્તાર વધી રહયો છે તે જોતા 15 થી 17 ટીપી હોવી જોઇએ પરંતુ પાલિકા હતી ત્યારે પણ નવી ટીપી જાહેર કરવા માટેની કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બાબતે બિલ્ડરોએ અનેકવાર નવી ટીપીની માંગણી કરી હતી.પરંતુ માત્ર ઠાલા વચનો જ આપવામાં આવતા હતા.ત્યારે મહાનગર પાલિકા બનતા મનપાના કમિશનર નવનાથ ગવ્હાણે દ્વારા રતનપર,દૂધરેજ અને વઢવાણના નવી ટીપી જાહેર કરવામાં આવી છે. 6થી 8 મહિનામાં સર્વે પૂર્ણ થશે સુરેન્દ્રનગરમાં નવી ટીપી માટે 17 પોઇન્ટ પસંદ કરાશે. તેના માટે અત્યારે સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.સર્વેમાં ક્ષેત્રફળની માપણી કરાશે. ત્યાર બાદ તે માપણીની ખરાઇ માટે ડિએલઆર કચેરીમાં મોકલાશે. ત્યાથી રસ્તા,બાંધકામની ખરાઇ થઇને પોઇન્ટને ફાયનલ કરવામાં આવશે.પછી તેને મંજુરી માટે ગાંધીનગર મોકલવામાં આવશે.ગાંધીનગરથી મંજુરી આવ્યા બાદ રીઝર્વ જગ્યા,રસ્તા સહિતનો પ્લાન બનાવવામાં આવશે અને નવી ટીપી જાહેર કરાશે. > પ્રશાંત નીસારતા, ટીપીઓ મનપા (એક્ષપર્ટ) બાગ, બગીચા, સ્કૂલો માટે જગ્યાઓ રીઝર્વ કરાશે સુરેન્દ્રનગરમાં વર્તમાન સમયે શહેરીજનોની સુખાકારી માટે ટીપી ઓછી હોવાને કારણે રીઝર્વ જગ્યાનો અભાવ છે.હવે આ નવી ટીપી જાહેર થશે તો તે વિસ્તારમાં બાગ બગીચા,સ્કૂલો,મનોરંજન સહિતના સ્થળો માટે જગ્યા રાખવામાં આવશે.જમીનના ભાવો પણ ઉચકાશે.
    Click here to Read More
    Previous Article
    કાચા‎ કામના કેદીનું મોત થયું:થાન હત્યા કેસના 72 વર્ષીય આરોપીનું મોત‎
    Next Article
    PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં PGVCL દ્વારા 2 દિવસમાં 15.72‎લાખના બાકીદારોના 170 વીજ જોડાણ કપાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment