Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણસામાં ધોળા દિવસે ઘરના તાળાં તૂટ્યા:આનંદપુરામાં વૃદ્ધ ઘઉં કાઢવા ખેતરમાં ગયાને તસ્કરો ત્રાટક્યા, 36 લાખના દાગીના-રોકડ લઈ ફરાર

    2 days ago

    માણસા તાલુકાના આનંદપુરા (વેડા) ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ખેડૂતના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે રૂ. 36 લાખથી વધુની કિંમતના સોનાચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત એ છે કે, આ ચોરી થયેલા મોટાભાગના દાગીના ફરિયાદીના સાળાએ સાચવવા માટે મૂક્યા હતા. હાલમાં તો માણસા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પત્નીને હવનમાં મુકી ખેતરે ગયાં હતાં માણસા તાલુકાના આનંદપુરામાં રહેતા 63 વર્ષીય કનૈયાલાલ કુબેરભાઈ ચૌધર 2021માં આરોગ્ય વિભાગમાં એમ્બ્યુલન્સ વાન ચાલક તરીકે નિવૃત્ત થયા છે અને હાલ ખેતીકામ કરે છે. તેમણે માણસા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 15 માર્ચના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં કનૈયાલાલ ખેતરમાં ઘઉં કાઢવા માટે ગયા હતા. તે જ દિવસે તેમના મોટાભાઈ રમણભાઈના ઘરે માતાજીનો હવન હોવાથી તેઓ તેમની પત્ની રાજીબેનને ત્યાં મૂકીને ખેતરે ગયા હતા. ઘરે પરત ફરતા સામાન વેરવિખેર હતો ત્યારે બપોરે આશરે પોણા એક વાગ્યાની આસપાસ જ્યારે રાજીબેન હવન પતાવીને ઘરે પરત ફર્યા ત્યારે ઘરની લોખંડની જાળીના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. બાદમાં અંદર તપાસ કરતા તિજોરીઓના લોક ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. તિજોરીની ચાવીઓ પણ સામે લટકતી હતી નવાઈની વાત છે કે, ઘરમાં લાખોની મત્તા પડી હોવા છતાં તિજોરીની ચાવીઓ બાજુમાં જ હૂક પર લટકતી હોવાથી તસ્કરોને ચોરી કરવામાં સરળતા રહી હતી. જે અંગે વધુ તપાસ કરતા પ્રથમ રૂમની તિજોરીમાંથી રૂ. 18,000ની રોકડ અને બીજા રૂમની તિજોરીમાંથી મોટા સોનાચાંદીના દાગીના ગાયબ હતા. તસ્કરોએ તમામ દાગીના પર હાથ સાફ કર્યો ફરિયાદીમાં જણાવ્યા મુજબ, તેમના સાળા અમૃતભાઈ શીવાભાઈ ચૌધરી (રહે. આમજા)ના નવા મકાનનું બાંધકામ ચાલતું હોવાથી તેમણે સુરક્ષાના હેતુથી અંદાજે બે માસ પહેલા પોતાના કિંમતી ઘરેણાં કનૈયાલાલના ઘરે સાચવવા માટે મૂક્યા હતા. તસ્કરોએ આ તમામ દાગીના પર હાથ સાફ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આ અંગે ખેડૂતે 3 તોલાના સોનાના બાજુબંધ કિ.રૂ. 4.20 લાખ, સાડા પાંચ તોલાનું મંગળસૂત્ર કિં.રૂ. 7.70 લાખ, પોણા ત્રણ તોલાની સોનાની ચેન કિં.રૂ. 3.85 લાખ, સોનાનો સેટ, વીંટીઓ અને કાનની બુટ્ટીઓ મળી કુલ રૂ.35.88 લાખના દાગીના તથા રૂ. 18,000 રોકડ મળીને કુલ રૂ. 36.06 લાખની મતાની ચોરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કાવ્યા મારન પર સુનીલ ગાવસ્કર બરાબરના ભડક્યા:સનરાઇઝર્સમાં પાકિસ્તાની ખેલાડીની એન્ટ્રી પર કહ્યું- ભારતીયોના જીવ સાથે ચેડાં કરવા સમાન
    Next Article
    એચ.એ.કોલેજમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમ યોજાયો:પ્રિન્સિપાલ સંજય વકીલે યુવાનોને દેશભક્તિ માટે પ્રેર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment