Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરઝરમાં ધાર્મિક પ્રસંગોની ધારા વહેશે:3.50 કરોડનું દાન, કચ્છભરમાંથી સંતો, મહંતો જોડાશે

    17 hours ago

    તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન જેવી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ સાથે યોગમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગના પથિક એટલે દાદા મેકરણ અને એ જ પરંપરાનું ચેતન સ્થાન સંત પુંજલદાદા અખાડા-મોરઝરમાં સંત કાંયાદાદા મંદિર પાટોત્સવ, સદગુરુ વેલજીદાદા નિર્વાણતિથિ મહોત્સવ, સંત પુંજલદાદા મંદિર ધ્વજારોહણ એવમ રામકથા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય યજમાન પશ્ચિમ કચ્છ પ્રાથળિયા આહિર સમાજ-નખત્રાણા વઈ, મહાપ્રસાદના દાતાઓ, સહયોગી દાતાઓ વગેરે દ્વારા અંદાજે 3.50 કરોડનું સહયોગ અપાયું છે. સંત પુંજલદાદા મંદિર ધ્વજારોહણ એવમ રામકથા તા. 16/5થી તા. 25/5 સુધી યોજાશે. વક્તા મહામંડલેશ્વર 1008 મા કનકેશ્વરી દેવીજી રહેશે. સંત કાંયાદાદા મંદિર પાટોત્સવ એવમ નિર્વાણતિથિ મહોત્સવ અંતર્ગત તા. 16ના સવારે 9 કલાકે પાદુકા પૂજન, 11.30 કલાકે મહાપ્રસાદ, 4 કલાકે આરાધી વાણી યોજાશે. તા. 17ના સવારે 8 કલાકે પોથીયાત્રા, 9:30 કલાકે સંતોના હસ્તે રામ કથા દીપ પ્રાગટ્ય કરાશે. તા. 18ના 9 કલાકે કળશ સ્થાપન એવમ શ્રીફળ હોમ, તા.25ના બપોર બાદ પુર્ણાહુતિ હવન યોજાશે. કથા શ્રવણ સવારે 9થી બપોરે 1 સુધી કરી શકાશે. મુખ્ય આચાર્ય મેહુલભાઈ મંગલદાસ જોશી રહ્યા છે. તા.16થી તા.24 દરમિયાન દરરોજ બપોરે 3થી 10 સુધી સંતવાણી તેમજ દાંડિયા રાસના કાર્યક્રમો વિવિધ કલાકારો દ્વારા યોજાશે. માતાના મઢ જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહ મહારાજ, ધ્રંગ મેકણદાદા અખાડાના મહામંડલેશ્વર મૂળજીરાજા ગુરૂ કાનજીરાજા કાપડી, જંગી મેકણદાદા અખાડાના મહંત વેલજીરાજા ગુરુ રણછોડરાજા કાપડી, ભારાપર હાજલદાદા અખાડાના મહંત ભરતરાજા ગુરુ દેવજીરાજા કાપડી, મોરઝર પુંજલદાદા અખાડાના મહંત દિલીપરાજા ગુરુ વેલજીરાજા કાપડી, હરિયાણાના મહંત યોગી કૃષ્ણનાથ મહારાજ, જુનાગઢના મહંત પીરયોગી શેરનાથજી મહારાજ, હરિયાણાના મહંત યોગી સમુદ્રનાથજી મહારાજ સહિત સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં સંતો, મહંતો, દેવીજીઓ, શાસ્ત્રીઓ ઉપસ્થિત રહેશે. નવ દિવસના મહાપ્રસાદ માટે રૂ.1 કરોડનું દાન નવ દિવસીય મહોત્સવમાં દરેક દિવસ માટે મહાપ્રસાદના અલગ અલગ દાતાઓ રહ્યા છે. જેમાં રૂ. 11,11,111ના દાતાઓ તેજાભાઈ રમાભાઈ કાનગડ (પ્રમુખ કચ્છ પાટણ આહિર સમાજ), ખીમીબેન ભીમાભાઇ હુંબલ (ગાંધીધામ), વાસણભાઇ ગોપાલભાઈ આહીર (પૂર્વ રાજ્યમંત્રી), તેજાભાઈ મેમાભાઈ આહીર પરિવાર (ગાંધીધામ), શિવજીભાઈ કરસનભાઈ ડાંગર (ભુજ) તથા રાણાભાઇ રવાભાઈ ડાંગર (ધાણેટી) તેમજ રૂ. 11,00,000માં સ્વ. જમનાબેન સધાભાઈ કાનગડ (ગાંધીધામ), ચારણ જીનામ ગ્રુપ ઝરપરા, ખાટરીયા પરિવાર આંબાપર અને સમસ્ત મોરઝર ચારણ સમાજ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના નેતાએ કોંગ્રેસમાં મત નાખવા કહી દીધું:ઈટાલિયાએ ફોટો માથે ‘શેર’ ચઢાવ્યો; સંઘવીએ અધિકારીઓને ટકોર કરવી પડી
    Next Article
    ગાંધીનગરનો યુવક 'મોયા મોયા' બીમારીનો શિકાર બન્યો:લાખોનો ખર્ચ, આઠ વર્ષ પથારીવશ રહ્યો; આયુર્વેદિક સારવારથી 35 દિવસમાં ચાલતો થયાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment