Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંધુભવન-સેટેલાઈટ-જજીસ બંગ્લોઝ વિસ્તારમાં તલવાર-છરી પર પ્રતિબંધ નહીં!:અમદાવાદમાં હથિયારબંધી જાહેરનામું માત્ર 35 પોલીસ સ્ટેશનમાં જ લાગું, પોશ વિસ્તારમાં 'છૂટ'

    10 hours ago

    અમદાવાદના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. તલવાર, છરી, ધારિયા, ચપ્પા જેવા ઘાતક હથિયારો લઈ જવા, પથ્થરો અને અન્ય સાધનો એકઠા કરી લઈ જવા સહિતના અલગ અલગ પ્રતિબંધ સમગ્ર શહેરમાં ફરમાવવાની જગ્યાએ માત્ર 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. 18 ઓગસ્ટ 2026થી 1 સપ્ટેમ્બર 2026 સુધી હથિયાર બંધી અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું પોશ સિંધુભવન રોડ, સેટેલાઈટ, જજીસ બંગ્લોઝ, ગુજરાત યુનિવર્સિટી સહિતના 14 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ પડશે નહીં. આ અંગે સ્પેશિયલ બ્રાન્ચના ACP એન.વી પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દરેક વિસ્તારમાં હથિયારબંધી કોઈ કાયદો નથી. પરંતુ કાયદાની હેઠળ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. કમિશનરને લાગે કે આ વિસ્તારોમાં જ શરીર સંબંધીના ગુના વધુ બની રહ્યા છે ત્યારે એટલા જ વિસ્તારોમાં જાહેરનામું બહાર પાડે છે. દરેક વિસ્તારમાં લાગુ કરવું જરૂરી હોતું નથી. પૂર્વ પોલીસ કમિશનરે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ નવેમ્બર 2025થી તેઓ હતા ત્યાં સુધી જાહેરનામું બહાર પાડ્યું નહોતું. કેટલાક પોલીસ સ્ટેશનોમાં જાહેરનામું લાગુ નહીં વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, ગુજરાત યુનિવર્સિટી, વાસણા, નવરંગપુરા, એલિસબ્રિજ, સેટેલાઈટ, એરપોર્ટ, ખોખરા, મણિનગર, સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી. જેથી આ વિસ્તારમાં તલવાર, ચપ્પુ, છરી જેવા ઘાતક હથિયારો રાખવા પર તેમજ સળગતી મસાલ સાથે સરઘસ કાઢવા, કોઈપણ આકૃતિ કે પૂતળા બાળવા, છટાદાર ભાષણ આપવાથી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા ફેલાવો કરવાથી પ્રતિષ્ઠાનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા તેવા ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની પ્રવૃત્તિ પર કોઈ પ્રતિબંધ લાગુ કરાયો નથી. કેટલાક વિસ્તારોમાં ગંભીર ગુનાઓને અંજામ આપવાની શક્યતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે 17 ઓગસ્ટે હથિયાર બંધી અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર/ છરી/ ચપ્પુ/ ગુપ્તી/ લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિષ સહિતના ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપવાની શક્યતા રહેલી છે. આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અમુક કિસ્સાઓમાં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું ભંગ કરનાર સામે કાર્યવાહી થશે સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીઓએ આવા કોઇપણ હથિયાર સાથે લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય એવા વ્યક્તિ તેમજ સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર સાથે રાખવા પડતા હોય તેઓને આ જાહેરનામું લાગુ પડતું નથી. પોલીસ કમિશનરના ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. પોશ વિસ્તારમાં જાહેરનામું લાગુ પડતુ નથી પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ પશ્ચિમ વિસ્તારના પોશ ગણાતા એવા વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોડકદેવ, પાલડી અને વાસણા જેવા વિસ્તારો જ્યાં સિંધુભવન રોડથી લઈને જજીસ બંગલો રોડ જેવા મહત્વના વિસ્તારો આવેલા છે ત્યાં આ જાહેરનામું લાગું પડતુ નથી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ અમલ નહીં બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં અવારનવાર વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનો કરવામાં આવતા હોય છે અને બે સંગઠનો ક્યારેક આમને સામને પણ થઈ જવાની સ્થિતિ હોય ત્યારે પથ્થર તેમજ અન્ય હથિયારો સાથે બનાવો બનવાની શક્યતા છે તેમજ સૌથી મોટું શૈક્ષણિક સંસ્થા ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. યુવતીઓ પર પ્રેમ પ્રકરણમાં પણ હુમલાના બનાવો બનતા હોય છે. મોટી સંખ્યામાં યુવતીઓ પણ અભ્યાસ અર્થે આવતી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તલવાર અને છરી જેવા હથિયારો પર આ વિસ્તારોમાં પ્રતિબંધિત હોવા જોઈએ તેમ છતાં પણ ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. અગાઉ પોલીસ કમિશનર હેઠળના તમામ વિસ્તારનો સમાવેશ થતો હતો રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓ દ્વારા પણ અવારનવાર હથિયારબંધીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવતું હતું જેમાં આ જ પ્રકારના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા. જોકે જી.એસ. મલિક દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવતું હતું તેમાં અમદાવાદ પોલીસ કમિશનરની હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારનો સમાવેશ કરવામાં આવતો હતો. એટલે કે આખા અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જાહેરનામું લાગુ પડતું હતું. જોકે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની જગ્યાએ માત્ર 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ જાહેરનામું લાગુ કરતા અનેક સવાલો ઉભા થયા છે. પ્રતિબંધિત કૃત્યો
    Click here to Read More
    Previous Article
    પાટણ યુવા મોરચાએ શ્રાવણ માસમાં મહાપ્રસાદનું આયોજન કર્યું:સિદ્ધનાથ મહાદેવ મંદિરે આરતી બાદ ભક્તોએ પ્રસાદ લીધો
    Next Article
    FDA के Notice के बाद Tukaram Mundhe का Shahrukh Khan, Ajay Devgan और Tiger Shroff को Ultimatum!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment