Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    35 ઓવર પછી અંતે ભારતને વિકેટ મળી:પ્રસિદ્ધ ક્રિષ્નાએ નિરોશન ડિકવેલાને પેવેલિયન ભેગો કર્યો; સોનલ દિનુષા સાથે 146 રનની પાર્ટનરશીપ કરી

    3 days ago

    ભારત ગૉલ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં 462 રને ઓલઆઉટ થઈ ગયું. હાલમાં ત્રીજા દિવસે ત્રીજું સેશન ચાલુ છે. પહેલી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 239/6 છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને કેશરા નુવંથા ક્રિઝ પર છે. ભારત માટે અત્યાર સુધીમાં માનવ સુથારે 2, જ્યારે કુલદીપ, સિરાજ, જાડેજ અને પ્રસિદ્ધે એક-એક વિકેટ લીધી છે. ત્રીજા દિવસના પહેલા સેશનમાં અસિથા ફર્નાન્ડોએ 116.4 ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાને વિકેટકીપર નિરોશન ડિકવેલાના હાથે કેચ કરાવ્યો, આ વિકેટની સાથે જ ભારતની પહેલી ઇનિંગ્સ પણ પૂરી થઈ ગઈ. પ્રસિદ્ધે 7 બોલમાં 2 રન બનાવ્યા. કુલદીપ યાદવ 13 રન પર અણનમ રહ્યો. ભારતે ત્રીજા દિવસે માત્ર 4 બોલનો સામનો કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Fire Breaks Out At Income Tax Office Building In Mumbai's Churchgate
    Next Article
    નીતિન નબીનની નવી ટીમ જાહેર:13 ઉપાધ્યક્ષ, 8 મહાસચિવ, સ્મૃતિની વાપસી- વસુંધરા,રામ માધવનને મોટી જવાબદારી; બીએલ સંતોષ સંગઠન મહામંત્રી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment