Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 35 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી નિધન:શાંતિનગરના અનિરુદ્ધસિંહ ગોહિલને છાતીમાં દુખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

    1 week ago

    જામનગર શહેરમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનના નિધનની ઘટના સામે આવી છે. શાંતિનગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અનિરુદ્ધસિંહ વિરમદેવસિંહ ગોહિલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિરુદ્ધસિંહ ગોહિલ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. છાતીના દુખાવાને પગલે પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા માટે જરૂરી તમામ સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અનિરુદ્ધસિંહ મૂળ સમઢીયાળા ગામના વતની હતા. માત્ર 35 વર્ષની વયે તેમના અકાળ અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો, મિત્રવર્તુળ અને રાજપૂત સમાજમાં શોક વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    દાંતીવાડા હાઇવે ફોરલેનિંગ: ખેડૂતો જમીન સંપાદનથી નારાજ:વધુ જમીન સંપાદનનો આરોપ, બજાર ભાવે વળતરની માંગ
    Next Article
    વિશાલાથી શાસ્ત્રી બ્રિજ જવાના રોડ પર 60થી 70 ઝૂંપડાઓમાં આગ:ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે, ઘટનાસ્થળની આસપાસ 200 જેટલા ઝૂંપડાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment