Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનગઢ ગામમાં મોટી દુર્ઘટના:નિર્માણધીન મકાનમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે મોટરમાંથી વીજ કરંટ લાગતાં 34 વર્ષીય યુવકનું મોત

    1 day ago

    વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. ઘરમાં નવી બની રહેલી પાણીની ટાંકીની સાફ-સફાઈ કરતી વખતે અચાનક જોરદાર વીજ કરંટ લાગવાના કારણે એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે મૃતક યુવકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પાણીમાં પડેલી ચાલુ મોટર બહાર કાઢવા જતાં જીવ ગુમાવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, અનગઢ ગામના રામગઢ પરા પ્રાથમિક શાળા પાસે રહેતા કમલેશકુમાર લક્ષ્મણસિંહ ગોહિલ (ઉં.વ. 34) પોતાના નવા બની રહેલા મકાનની કામગીરી કરાવી રહ્યા હતા. મકાનની બાજુમાં જ પાણી સંગ્રહ કરવા માટે એક ટાંકી (હોજ) બનાવવામાં આવી હતી. કમલેશકુમાર આ ટાંકીની સાફ-સફાઈ કરી રહ્યા હતા, તે સમયે તેમણે પાણી ખેંચવા માટેની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી હતી. દરમિયાન ચાલુ મોટર અચાનક પાણીની ટાંકીમાં ખાબકી હતી. પાણીમાં પડેલી ચાલુ મોટરને બહાર કાઢવા માટે કમલેશકુમારે જેવો ટાંકીમાં હાથ નાખ્યો કે તરત જ આખા પાણીમાં ફેલાયેલો પ્રચંડ વીજ કરંટ તેમના શરીરમાં પસાર થઈ ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે કમલેશકુમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે નંદેસરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો: વીજ કરંટથી બચવા માટેની ખાસ માર્ગદર્શિકા આ ચિંતાજનક કિસ્સો અન્ય લોકો માટે લાલબત્તી સમાન છે. ભવિષ્યમાં આવી ઘાતક દુર્ઘટનાઓ અટકાવવા માટે ઘરોમાં વીજ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે નીચે મુજબની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં ગ્રાઉન્ડ પર 'સ્માર્ટનેસ' નહીં ચાલે:પ્લેયર્સ નહીં પહેરી શકે આ ચશ્મા, મોબાઇલ-વોચ જમા થશે; હોટલની બહાર જવા, ગેસ્ટ બોલાવવા પર પ્રતિબંધ; રાતોરાત કેમ નિયમો બદલાયા?
    Next Article
    સીએનજી ભાવવધારા સામે રિક્ષાચાલકોની ભારે નારાજગી:ભરૂચમાં એસોસિએશન અને મુસાફરોએ સરકારને ભાવ ઘટાડવા કરી રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment