Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાને સર્વાનુમતે બહાલી:નાગરિકોને 33 કરોડની વ્યાજ રાહતનો સીધો લાભ મળશે, ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં 5 દરખાસ્તને લીલી ઝંડી

    18 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનના સભાખંડમાં યોજાઈ હતી. આ સભામાં શહેરના વિકાસ અને જનસુખાકારીને સ્પર્શતા પાંચ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા બાદ તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભામાં મુખ્યત્વે મિલકતવેરાના વ્યાજ માફીની યોજના અને ટી.પી. સ્કીમોમાં ફેરફાર જેવા જનહિતના નિર્ણયો લેવાયા હતાં. મિલકતવેરા વ્યાજ માફીની યોજનાને સર્વાનુમતે બહાલી મેયર મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને વંદે માતરમ ગાન સાથે શરૂ થયેલી આ સભામા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક અને બિનરહેણાંક મિલકતો માટે તા. 1થી 31 માર્ચ સુધી અમલી મિલકતવેરા વ્યાજ માફીની યોજનાને કમિશનરની ભલામણ અનુસાર બહાલી અપાઈ હતી. લોકોને 33 કરોડની વ્યાજ રાહત મળશે આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા શહેરના નાગરિકોને અંદાજે 33 કરોડ જેટલી માતબર રકમની વ્યાજ રાહત મળશે. તેમણે બાકી વેરો ધરાવતા નાગરિકોને આ મર્યાદિત સમયગાળાનો લાભ લેવા અપીલ કરી હતી.જ્યારે મેયરે યોજનાની સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, યોજના જાહેર થયાના માત્ર 15 જ દિવસમાં 2389 જાગૃત નાગરિકોએ 1 કરોડ 87 લાખ 4 હજાર જેટલો વેરો ભરીને આ તકનો લાભ લીધો છે. જ્યારે અંકિતભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ યોજના દર્શાવે છે કે મનપા માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પરંતુ મધ્યમ વર્ગની આર્થિક સુખાકારીની પણ ચિંતા કરે છે. સામાજિક માળખાકીય સુવિધા માટે પ્લોટના ઉપયોગના ફેરફારને મંજૂરી સભામાં અન્ય મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં વાસણા હડમતીયા,સરગાસણ,ઉવારસદ,તારાપુરની ટી.પી. સ્કીમ નં. 9/એ માં સામાજિક માળખાકીય સુવિધા માટે પ્લોટના ઉપયોગના ફેરફારને મંજૂરી અપાઈ હતી. વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ઉભી કરવાની દરખાસ્તને મંજૂરી એજ રીતે આ સભામાં કોલવડા ટી.પી નં. 14 માં નગર રચના અધિકારી દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાના નિર્ણયોને બહાલી અપાઈ હતી. ઉપરાંત ઇજનેરી વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-3) ની જગ્યાઓ ઉભી કરવાની દરખાસ્તને પણ મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી બહેનો દ્વારા 18થી 20 માર્ચ સુધી કેન્દ્રો બંધ:પાટડી તાલુકામાં પડતર માંગણીઓ માટે આવેદનપત્ર અપાયું
    Next Article
    387 યુવાનોને નોકરીની ઓફર અપાઈ:પાલનપુર જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment