Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત:ભેળસેળની આશંકાએ ધુડાસીયા ગામની સીમમાં પોલીસે દરોડો પાડ્યો

    1 week ago

    જામનગર તાલુકાના ધુડાસીયા ગામની સીમમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાની આશંકાએ પોલીસે દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે આશરે 314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જામનગર પંચકોશી 'એ' ડિવિઝનના PI એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ PSI એ.આર. પરમાર અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મેળવી હતી. આ બાતમી અનુસાર, ધુડાસીયા ગામની સીમમાં પરેશ વણપરિયા નામનો શખ્સ ભેળસેળવાળું ઘી બનાવી તેનું વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, જામનગરના અધિકારીઓને સાથે રાખીને બાતમીવાળા સ્થળે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 9 પ્લાસ્ટિકના કેન મળી આવ્યા હતા. આ કેનમાં ભરેલો 314 કિલો કહેવાતો શુદ્ધ ઘીનો જથ્થો શંકાસ્પદ જણાતા પોલીસે તેને જપ્ત કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ઘીના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ધાર્મિક ઉત્સવની સાથે માનવસેવાનો અનોખો સમન્વય:નરોડાના SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે 1300 કિલોથી વધુ કેરીઓ સાથે આમ્રોત્સવ ઉજવાયો, વૃદ્ધાશ્રમો અને હોસ્પિટલોમાં કેરીના પ્રસાદનું વિતરણ
    Next Article
    જગન્નાથજી રથયાત્રા અંગેની ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ:ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજન અંગે તૈયારીઓ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment