Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં જગન્નાથજીની 31મી રથયાત્રાનો પ્રારંભ:નગરમાં અનેરો ઉત્સાહ, ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી, માર્ગો 'જય જગન્નાથ'ના નારાઓથી ગુંજ્યાં

    8 hours ago

    વલસાડના છીપવાડ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 31મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ અગ્રણીઓએ ઉપસ્થિત રહી રથની પૂજા-અર્ચના કરી પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના પ્રારંભે વલસાડ નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. સમગ્ર માર્ગો 'જય જગન્નાથ' અને 'હરે ક્રિષ્ના' ના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. વલસાડની આ રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાના દર્શન થયા હતા. રથયાત્રાના રૂટ પર મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ વલસાડની ભાઈચારાની પરંપરાને વધુ મજબૂત કરી છે. લોકસભાના દંડક અને ગુજરાત ભાજપના પ્રવક્તા ધવલ પટેલ, સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી (જૈન), ભીડભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજ, વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા અને વલસાડ જિલ્લા ભાજપ અધ્યક્ષ હેમંત કંસારા સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના આલ્ફા સંકુલ પાસે ફાયર NOC નથી:મનપાના ફાયર બ્રિગેડ વિભાગે 180 ટ્યુશન ક્લાસને નોટિસ ફટકારી, જસદણના મુખ્ય સંકુલમાં ડમી કાંડ બાદ તપાસ તેજ
    Next Article
    धीरेंद्र शास्त्री के भाई पर जमीन हड़पने का आरोप, क्या है पूरा मामला? | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment