Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા:31 કલાક વેન્ટિલેટર પર રહ્યા બાદ સાઠંબાની બાળકીનું મોત

    10 hours ago

    હિંમતનગર સિવિલમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ભેદી વાયરસનો ભોગ બનેલ બાળકોને લગભગ છેલ્લા સ્ટેજમાં લવાઇ રહ્યા છે. સાઠંબાના ઓઢા પંચાયતના પેટાપરા મેરાટીંબા ગામથી લાવવામાં આવેલ બાળકીને ખેંચ, હાઈ ફિવર, ઉલટી, બેભાન અવસ્થામાં હિંમતનગર સિવિલમાં લવાયા બાદ પીડિયાટ્રીક વિભાગે તરત જ વેન્ટિલેટર પર લઈ લીધી હતી પરંતુ 31 કલાકમાં જ બાળકીએ દમ તોડી દેતાં ભેદી વાયરસથી પાંચમું અને કુલ છઠ્ઠું મોત નોંધાયું હતું. જ્યારે મેઘરજ તાલુકાની બે વર્ષની વધુ એક બાળકીને સારવાર અર્થે લવાતા વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ​ચાંદીપુરા વાયરસની બૂમ વચ્ચે અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલમાં લાવવામાં આવેલ કુલ 9 બાળકો પૈકી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 7 બાળકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તે પૈકી 6 બાળકોનાં મોત થયા છે. જ્યારે એકનો રિપોર્ટ બાકી છે. ​રવિવારે સાંજે મોતને ભેટેલ સાઠંબા તાલુકાની 3 વર્ષીય બાળકીને ખેંચ, ઊલટી, હાઈફિવરની સમસ્યા સાથે બેભાન અવસ્થામાં તા. 11-07-26 ના રોજ સવારે લવાયા બાદ તરત જ વેન્ટિલેટર પર લઈ સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ તેનું તા.12-07-26 ના રોજ મોત થતાં પાંચ બાળકોના ત્રણ સપ્તાહમાં મોત થતાં ફફડાટ વ્યાપી ગયો છે. બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો:તબીબ સાઠંબા તાલુકાના ઓઢા પંચાયતના પેટાપરા મેરાટીંબા ગામની 3 વર્ષની માસૂમ બાળકી પરી વિક્રમભાઈ પરમારમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતાં તેને હિંમતનગર સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન ગત રોજ સાંજે બાળકીનું મોત નિપજ્યું હતું. જોકે, બાળકીનો લેબોરેટરી રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે નેગેટીવ આવ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ અરવલ્લી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમારે કરી છે. 7થી વધુ પ્રકારના વાયરસનું ટેસ્ટીંગ થાય છે: RMO‎ મેરાટીંબામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કરી દીવાલોની તિરાડો પૂરવા સહિતની કામગીરી કરી હતી. બાયડ | અરવલ્લી જિલ્લામાંઆરોગ્ય વિભાગ દ્વારા સરહદી પંથકના કુલ 61 ગામોના 17,141 ઘરો અને 95,176ની વસ્તીનો સઘન સર્વે હાથ ધરાયો છે. બાળકના મગજના કોષો પર અસર થઇ રહી છે‎ હિંમતનગર સિવિલના આરએમઓ ડૉ.વિપુલ જાનીએ જણાવ્યું કે, બાળકોને ખેંચ, હાઈફિવર, ઊલ્ટીની સમસ્યા સાથે બેભાન અવસ્થામાં લવાઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં બતાવીને લાવ્યાની કેસ હિસ્ટ્રી છે. તેમણે ઉમેર્યું કે માત્ર ચાંદીપુરા નહી 7 થી વધુ આ પ્રકારના વાયરસનું ટેસ્ટીંગ થાય છે. બધા નેગેટીવ આવે છે. ભેદી વાયરસથી મોતને ભેટેલ બાળકોની યાદી‎ સારવાર હેઠળ બાળકો
    Click here to Read More
    Previous Article
    લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો‎:ફૂલદાની, કુંડા, કુલરમાં જન્મે છે એડિસ મચ્છર, દર 10 મિનિટની સફાઈ ઘરને બીમારી મુક્ત બનાવશે
    Next Article
    4 Boys Kill Watchman, Escape From Observation Home In Chhattisgarh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment