Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગબારામાં જંગલ જમીનના હક્ક માટે ખેડૂતોના ધરણાનો ત્રીજો દિવસ:300થી વધુ આદિવાસી ખેડૂતો આંદોલનમાં જોડાયા, સાંસદ મનસુખ વસાવાની મુખ્યમંત્રી સાથે મુલાકાત

    9 hours ago

    નર્મદા અને સુરત જિલ્લાની સરહદે જંગલ જમીન પર ખેતીના હક્કને લઈને વિવાદ વકર્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા ધરણાં આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. 300થી વધુ ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન સહિતના આગેવાનો પણ આંદોલનમાં જોડાયા છે. છેલ્લા લાંબા સમયથી ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ અને સાગબારા વિસ્તારના આદિવાસીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વન વિભાગ દ્વારા સાગબારા વિસ્તારના આદિવાસીઓ ખેડૂતોને જંગલમાં ખેડાણ કરતા અટકવામાં આવી રહ્યા છે. સાગબારાના ખેડૂતોને જંગલ વિસ્તારમાં ખેતી કરવા દે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ખેડૂતોના પ્રશ્નના ઉકેલ માટે સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરી ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મુદ્દે વન મંત્રી સાથે વાતચીત કરીને જરૂરી ઉકેલ લાવવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત સાંસદ વસાવાએ રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના સહ પ્રભારી પ્રવીણ માળી સાથે પણ ચર્ચા કરી હતી. સેટેલાઈટ નકશાના આધારે નિર્ણય ન લેવા માંગ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને માત્ર સેટેલાઈટ નકશાના આધારે નિર્ણય ન લેવા અપીલ કરી છે. તેમણે અધિકારીઓને સ્થળ પર આવીને વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની માંગ કરી હતી. વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે એક તરફ સુરત જિલ્લાના ખેડૂતો આ જમીન પર ખેતી કરી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવાની મંજૂરી કેમ આપવામાં આવતી નથી. સાગબારા - ઉમરપાડા બે તાલુકા વચ્ચેના સંબંધો અંગે પણ સવાલ વસાવાએ જણાવ્યું હતું કે બંને તાલુકા વચ્ચેના સંબંધો સારા ન હોવાના કારણે વન સમિતિનો અભિપ્રાય મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી સમગ્ર મામલાની સ્થળ પર તપાસ કરીને ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા તેમણે રજૂઆત કરી છે. ગ્રામસભાના ઠરાવ બાદ ખેતી શક્ય: વન વિભાગ બીજી તરફ, સુરત વન વિભાગના એ.સી.એફ. ગૌરવ કુમારે જણાવ્યું હતું કે હાલ વિવાદિત જમીન સુરત જિલ્લામાં આવે છે. નિયમ મુજબ ગ્રામસભાનો ઠરાવ હોય તો જ આ જમીન પર ખેતી કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે હાલ ખેતી કરતા ખેડૂતો પાસે કોઈ આધાર પુરાવા નથી. જો ગ્રામ પંચાયત અથવા ગ્રામસભાના ઠરાવ બાદ ખેતી કરી શકાય તેમ હશે તો વન વિભાગને તેનો કોઈ વિરોધ નહીં હોય. 15 ઓગસ્ટ સુધી ન્યાય નહીં મળે તો ફરી આંદોલનની ચીમકી આદિવાસી ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ સાથે ધરણાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે જો 15 ઓગસ્ટ સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે તો તેઓ ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ 15 ઓગસ્ટ પછી ફરી આંદોલનમાં જોડાશે. ત્યાં સુધી ગ્રામજનો દ્વારા દિવસ-રાત ધરણાં ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    39 Arrested, Drugs Worth Rs 55 Crore Seized In Major Op In Bengaluru
    Next Article
    મરચા પાવડરમાં ભેળસેળ 9 વર્ષે સાબિત થઈ:રાજકોટમાં ઘાતક કેમિકલયુક્ત કલરની ભેળસેળ માટે મ્યુ. કોર્ટેએ વેપારીને 1 માસની જેલ અને રૂ.1,50,000નો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment