Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાદલપરામાં 300 યુનિટ રક્તદાન:મોદી સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી, યુ.એન. મહેતા હોસ્પિટલને રક્ત અર્પણ

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા અને અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાદલપરા સહિત આસપાસના ગામોના યુવાનો, આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા કેમ્પમાં આશરે 300 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્ત અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યું. તેનો મુખ્ય હેતુ હોસ્પિટલોમાં દાખલ ગંભીર દર્દીઓ અને ઇમરજન્સી પરિસ્થિતિમાં સમયસર લોહી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, આ રક્તદાન કેમ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન અને દેશના લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાના કીર્તિમાનની ઉજવણી સાથે અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે યોજવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીનો અભિગમ હંમેશા સમાજના છેવાડાના માણસ સુધી વિકાસ અને સુવિધાઓ પહોંચાડવાનો રહ્યો છે. એ જ ભાવનાથી સમાજસેવાના એક પ્રયાસરૂપે આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. રક્તદાન માત્ર દાન નથી, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિને નવું જીવન આપવાનો પવિત્ર પ્રયાસ છે. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની વિશેષ ટીમે કેમ્પમાં સેવાઓ આપી હતી. 20થી વધુ નર્સિંગ સ્ટાફ અને સ્વયંસેવકો આધુનિક સાધનો સાથે હાજર રહી સુરક્ષિત રીતે રક્ત સંગ્રહની કામગીરી કરી હતી. હિમોક્યૂ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, એન્ટીસીરા, બીસીએમ અને ટ્યૂબ સીલર સહિતના સાધનોની મદદથી સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી. આ કેમ્પમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પરિવારજનો, વિવિધ ગામોના સરપંચો, યુવા કાર્યકરો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાંથી મળેલો આ ઉત્સાહજનક પ્રતિસાદ સેવાભાવ, માનવતા અને રક્તદાન પ્રત્યેની જાગૃતિનું પ્રેરણાદાયક ઉદાહરણ બન્યો છે. 300 યુનિટ રક્તનું એકત્રિકરણ અનેક દર્દીઓના જીવનમાં નવી આશા અને નવજીવનનો સંદેશ લઈને આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ:કેનેડિયન નાગરિકોને ડરાવી લાખોની ડિજિટલ ઠગાઈ, 11 ઝડપાયા
    Next Article
    તાલુકા ભાજપના અધ્યક્ષ ઉપસ્થિત રહેતા પંચાયતની સામાન્ય સભામાં વિવાદ:માથાકૂટ વચ્ચે કારોબારી અને ન્યાય સમિતિની રચના, વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું વિસરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment