Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલનીનોની સંભવિત અસરને લઈ સરકાર એકશનમાં:300 તળાવ અને સૌરાષ્ટ્રના ડેમ નર્મદાના પાણીથી ભરાશે, કૃષિ વિભાગની 'આકસ્મિક પાક યોજના'ની જાહેરાત

    1 day ago

    આગામી અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગોતરા તૈયારીના ભાગરૂપે રાજ્યવ્યાપી માઇક્રો-પ્લાનિંગ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પાણી, કૃષિ, સિંચાઈ, નર્મદા, મહેસૂલ અને પશુપાલન સહિતના વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અલ-નીનોની સંભવિત પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુરક્ષા માટે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે અને તમામ વિભાગો સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે. નર્મદા પાઇપલાઇનથી 7 કિમી સુધીના તળાવો ભરાશે રાજ્યમાં પીવાના પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા તળાવો ભરવામાં આવતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ આશરે 300થી વધુ તળાવો નર્મદાના પાણીથી ભરાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ‘સૌની યોજના’ હેઠળ પીવાના પાણી માટેના વિવિધ ડેમોમાં પણ તાત્કાલિક પાણી ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે ‘આકસ્મિક પાક આયોજન’ તૈયાર અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે ખેડૂતો માટે ‘આકસ્મિક પાક આયોજન’ જાહેર કર્યું છે. જેમાં ઓછા પાણીમાં પાકી શકે તેવા વૈકલ્પિક પાકો અને વૈજ્ઞાનિક સલાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખરીફ-2026 માટે જરૂરી બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું. સાથે જ સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા જમીનના ભેજ અને પાકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. 50 લાખ ખેડૂતોને AI આધારિત સલાહ મળશે કૃષિ વિભાગ દ્વારા AI આધારિત ‘કૃષિ પ્રગતિ’ પોર્ટલ મારફતે 50 લાખથી વધુ ખેડૂતોને મોબાઇલ પર સીધી હવામાન અને ખેતી સંબંધિત સલાહ મોકલવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને સમયસર માર્ગદર્શન અને જરૂરી માહિતી ઉપલબ્ધ થશે. પશુધન માટે બે વર્ષનો ઘાસચારો સ્ટોકમાં સંભવિત દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આગોતરા આયોજન કર્યું છે. હાલ રાજ્ય પાસે બે વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. વન વિભાગ અને પશુપાલન વિભાગને પણ વધારાની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. દરેક અલ-નીનો વર્ષ નબળું નથી હોતું સરકારે ખેડૂતો અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2000થી 2026 દરમિયાન ગુજરાતમાં 8 અલ-નીનો વર્ષ નોંધાયા છે, પરંતુ દરેક વખતે વરસાદ ઓછો પડ્યો હોય એવું નથી. વર્ષ 2006 અને 2023માં અત્યંત તીવ્ર અલ-નીનો હોવા છતાં ગુજરાતમાં 117 ટકા વરસાદ નોંધાયો હતો. 24 કલાક મોનીટરીંગના આદેશ મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટરોને પરિસ્થિતિ પર 24x7 નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. રાજ્ય સરકારનો દાવો છે કે અલ-નીનોની કોઈપણ સંભવિત અસર સામે ગુજરાત સંપૂર્ણ તૈયારી સાથે ઉભું છે અને ખેડૂતો તથા નાગરિકોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    ટેસ્લાની ફુલ્લી સેલ્ફ ડ્રાઇવ 'મોડેલ YL'ની ડિલિવરી શરૂ:6 લક્ઝરી સીટર ઇલેક્ટ્રિક SUV સિંગલ ચાર્જ પર 681km ચાલશે, કિંમત ₹61.99 લાખથી શરૂ
    Next Article
    પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સભામાં 7 મુદ્દા મંજૂર:વેરા વ્યાજમાં 90% માફી આપતી OTS યોજનાને લીલી ઝંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment