Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલનું મૃતદેહ રાખવા માટેનું કોલ્ડસ્ટોરેજ 30 દિવસથી બંધ:AC રૂમમાં ડેડબોડી મૂકી દેવાઈ, બેદરકારીની જાણ થતા આરોગ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો

    7 hours ago

    દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલ અત્યારે પોતે જ ‘બીમાર’ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. માનવતાને શરમાવે એવી ગંભીર બેદરકારી સામે આવી છે કે છેલ્લા 30 દિવસથી પીએમ રૂમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજ કેબિનેટ્સ મેઈન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં છે. આ સ્થિતિની જાણ થતા જ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી અને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. એસી રૂમમાં ખુલ્લામાં રખાયા શબ નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહોને સાચવવા માટેના કોલ્ડ સ્ટોરેજ કેબિનેટ્સ છેલ્લા એક મહિનાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કોઈ કેબિનેટના દરવાજા તૂટી ગયા છે તો કોઈનું કુલિંગ યુનિટ ઠપ થઈ ગયું છે. મેઈન્ટેનન્સના અભાવે અકસ્માત કે ગુનાહિત કેસોમાં આવતા મૃતદેહોને સ્ટોરેજ બોક્સમાં રાખવાને બદલે હવે માત્ર સામાન્ય એસીના ભરોસે ખુલ્લામાં રાખવાની ફરજ પડી રહી છે, જે મૃતકોની ગરિમા સામે મોટો સવાલ ઉભો કરે છે. અધિકારીનું સફેદ જૂઠ અને મંત્રી રોષે ભરાયા આરોગ્ય મંત્રીની મુલાકાત દરમિયાન વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ હતી. જ્યારે મંત્રીએ પી.આઈ.યુ.(PIU)ના એન્જિનિયરને ફોન કરીને કેબિનેટ બંધ હોવા અંગે પૃચ્છા કરી ત્યારે એન્જિનિયરે ઉડાઉ જવાબ આપતા કહ્યું હતું કે, "સાહેબ, કેબિનેટ તો ચાલુ જ છે." મંત્રી પોતે ત્યાં રૂબરૂ હાજર હતા અને કેબિનેટ બંધ જોઈ રહ્યા હતા. એન્જિનિયરના આ સફેદ જૂઠથી મંત્રી રોષે ભરાયા હતા અને ત્યાં જ તેને આડે હાથે લેતા કહ્યું હતું કે, "જો તમારાથી કામ નથી થતું તો તમે નોકરી છોડી દો." 24 કલાકમાં મેઈન્ટેનન્સ પૂર્ણ કરવાનું અલ્ટીમેટમ આરોગ્ય મંત્રીએ સિવિલના સત્તાધીશો અને એન્જિનિયરિંગ વિભાગને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં તમામ કોલ્ડ સ્ટોરેજ કેબિનેટ્સ ચાલુ હાલતમાં હોવા જોઈએ. જો સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવાની તૈયારી પણ દર્શાવી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓનો દાવો છે કે, તેમણે અગાઉ ત્રણ વખત પીઆઈયુ વિભાગને લેખિતમાં જાણ કરી હતી કે કેબિનેટ તૂટી ગયા છે. તેમ છતાં ઇલેક્ટ્રોનિક્સ અને મેન્ટેનન્સ વિભાગે તેની પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. એક તરફ સિવિલ પત્ર લખ્યાનો દાવો કરે છે અને બીજી તરફ એન્જિનિયરિંગ વિભાગ બધું ઠીક હોવાનું રટણ કરતો રહ્યો આ ખેંચતાણમાં મૃતકોના સ્વજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવી સુવિધાઓ અને ટેકનોલોજીની તૈયારી પીએમ રૂમની મુલાકાત બાદ મંત્રીએ હોસ્પિટલની અન્ય સુવિધાઓ અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્સરના દર્દીઓ માટે PET સ્કેન મશીન ટૂંક સમયમાં કાર્યરત થશે. આ ઉપરાંત હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓ માટે યુ.એન. મહેતા સંસ્થા સાથે થયેલું ટાઈ-અપ પણ અંતિમ તબક્કે છે, જેનો લાભ જલ્દીથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જનતાને મળતો થશે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સપ્તાહની પ્રથમ ચાર સેશનમાં વેચવાલીનું દબાણ રહ્યું:આયાત ખર્ચ વધવાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું
    Next Article
    'હવે પછી ક્યારેય રીલ નહીં બનાવું, લુખ્ખાગીરી નહીં કરું':SOGએ સુરતના ડ્રગ માફિયા શિવા ઝાલાના સીન-સપાટા ઉતાર્યા, કાન પકડાવી માફી મંગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment