Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગોને શ્રવણયંત્રોનું વિતરણ કરાયું:સાંસદ ડો. જશવંતસિંહ પરમારની ગ્રાન્ટમાંથી રૂપિયા 30 લાખના ઉપકરણો અપાયા

    17 hours ago

    દાહોદ: રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમારની ગ્રાન્ટમાંથી દાહોદ સ્થિત બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે 137 દિવ્યાંગજનોને આધુનિક શ્રવણયંત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપકરણોની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દાહોદ જિલ્લાના જન્મજાત સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરી શિક્ષણ, રોજગાર અને સામાજિક સશક્તિકરણની દિશામાં મદદ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મંત્રી ડો. યુસુફી કાપડિયાના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી. ત્યારબાદ, વી હિયર ઈનોવેશન, અમદાવાદના પ્રતિનિધિ ભાવિક ખુરાનાએ લાભાર્થીઓ અને તેમના વાલીઓને શ્રવણસહાયક ઉપકરણોની કાર્યપદ્ધતિ અને તેના લાભો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સાંસદની આ પહેલની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક ઉપકરણો લાભાર્થીઓના દૈનિક જીવન, શિક્ષણ અને સામાજિક વ્યવહારમાં સકારાત્મક બદલાવ લાવશે. તેમણે આ પ્રયાસને વડાપ્રધાનના 'સબકા સાથ, સબકા વિકાસ'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સાર્થક ગણાવ્યો હતો. રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને સમાજની મુખ્ય પ્રવાહમાં જોડવા માટે તેમની ગ્રાન્ટમાંથી ભવિષ્યમાં પણ મદદ મળતી રહેશે. તેમણે સંસ્થાની મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકોની પ્રતિભા જોઈને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં મહાનુભાવોના હસ્તે 137 શ્રવણબાધિત લાભાર્થીઓને આધુનિક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સમાપન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાટા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સૌ દાતાશ્રીઓ, મહાનુભાવો અને આયોજકોનો આભાર માન્યો હતો. નગરપાલિકા પ્રમુખ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખાણ-ખનીજની ઓફિસમાં અરજદાર અર્ધનગ્ન હાલતમાં પહોંચ્યો:મજોઠ ગામના સોડાભાઈ વરુએ ન્યાયની માગ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો, ભૂમાફિયાઓ કાર્યવાહી ન થતાં પગલું ભર્યુ
    Next Article
    સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો 15 બેઠકો પર દબદબો:BJPની એકતરફી બહુમતી, વ્યારામાં હોમ ટાઉન હોવા છતાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી હાર્યા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment