Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 દિવસમાં સજા કરવા યુનિ.નો કોલેજને આદેશ:સતલાસણાના પ્રોફેસરને પરીક્ષાની કામગીરી કરવા કાયમી પ્રતિબંધ

    1 week ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર - ડિસેમ્બર 2025માં લેવાયેલી MA સેમેસ્ટર-3 માં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષામાં પ્રોફેસરની ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવતા યુનિવર્સિટી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. જેમાં મહેસાણાના સતલાસણાની એક ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરે 200 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ વાંચવાની તસ્દી લીધા વગર જ, માત્ર પોતાની ગણતરીની સરળતા માટે રેવડીની જેમ એકસરખા ગુણ પધરાવી દીધા હતા. આ ગંભીર લાપરવાહી પકડાતા જ યુનિવર્સિટીએ લાલ આંખ કરી પ્રોફેસરને પરીક્ષાની તમામ કામગીરીમાંથી આજીવન બરતરફ કર્યા છે. સાથે જ સંબંધિત કોલેજને પ્રોફેસર સામે તાત્કાલિક ખાતાકીય તપાસ બેસાડી 30 દિવસમાં સજા કરવાનો લેખિતમાં આદેશ કર્યો છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા સરકારમાં પણ વિગતવાર રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં MA સેમ-3 ના વિદ્યાર્થીઓની પરીક્ષાના મૂલ્યાંકન બાદ તેનું મોનિટરિંગ કરવા માટે મૂકાયેલા ચેરમેન પાસે ઉત્તરવહીઓનું સરવૈયું આવતા ગુણમાં રહેલી અસમાનતા અને શંકાસ્પદ એકરૂપતા પકડી પાડી હતી. ચેરમેને જ્યારે માનવતાના ધોરણે પ્રોફેસરને આ ભૂલ સુધારવા અને ન્યાયી મૂલ્યાંકન કરવા ટકોર કરી ત્યારે પ્રોફેસર સુધરવાને બદલે ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા હતા. પ્રોફેસરે ખુલ્લેઆમ ધમકીભર્યા સૂરે કહ્યું હતું કે, "હું તો આવી રીતે જ પેપર જોઉં છું. તારાથી જે થાય એ કરી લેજે આ ઉદ્ધતાઈભર્યા શબ્દોએ યુનિવર્સિટીના શિસ્તના લીરેલીરા ઉડાવ્યા હતા. આ મામલો કુલપતિ સુધી પહોંચતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક તપાસ કમિટી રચવામાં આવી હતી.જેમાં પ્રાથમિક તપાસમાં જ પ્રોફેસરની ગંભીર ક્ષતિઓ અને બેદરકારીના પુરાવા મળી આવ્યા હતા. યુનિ.માં બનેલી આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો ચેરમેન દ્વારા યોગ્ય મૂલ્યાંકનનું નિરીક્ષણ ન થાય, તો આવા બેદરકાર પ્રોફેસરો તેજસ્વી છાત્રોનું ભવિષ્ય રોળી શકે છે. કુલપતિ ડૉ. કે. સી. પોરીયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ કર્મચારીની તરફદારી કરશે નહીં. જેવી ગેરરીતિ હશે તેવી જ આકરી કાર્યવાહી થશે. પ્રવેશ હોય કે પરિણામ, હવે દરેક સ્તરે કડક પારદર્શિતા રહેશે અને બેદરકાર પ્રોફેસરો સામે એવો દાખલો બેસાડવામાં આવશે. જો કોલેજથી દિવસમાં પ્રોફેસર સામે કાર્યવાહી નહીં કરે તો યુનિવર્સિટી પગલા લેશે. જવાબ વાંચ્યા વગર આડેધડ ગુણ પધરાવ્યા‎ પ્રોફેસરે દરેક ઉત્તરવહી ખોલી તો હતી, પરંતુ તે માત્ર ''દેખાવ'' પૂરતું જ હતું. પ્રશ્નોના ઉત્તર વાંચવાની તસ્દી લીધા વગર જ, પોતાના ગુણના સરવાળામાં સરળતા રહે તે માટે તમામ છાત્રોને 12 કે 13 અંદાજિત આંકડો ગુણ આડેધડ પધરાવી દીધા હતા.ઉત્તરવહીના પુનઃ મૂલ્યાંકનમાં 138 છાત્રોની ઉત્તરવહીમાં ભૂલો સામે આવી છે. જેમાં નવ ગુણનો ફેરફાર આવે છે.કેટલાક છાત્રો તો ગુણ ઘટતા તેઓ નપાસ પણ થઈ રહ્યા છે. સાચા વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો અન્યાય થયો હતો જે તપાસના અંતે ખુલ્લો પડ્યો છે. પ્રોફેસર સામે આ પાંચ પૈકી‎કોઈ મોટી સજા થઈ શકે છે‎ - નોકરીમાંથી સસ્પેન્ડ (ટૂંક સમય બરતરફ) : - પગાર લાભ કે ઇજાપા સ્થગિત : - પ્રમોશન પર રોક : - કોલેજોમાં મહત્વની જવાબદારી માંથી દૂર કરવા : (શિક્ષણવિદના મતે)
    Click here to Read More
    Previous Article
    નરેશ પટેલ અને સંઘવી વચ્ચે અડધો કલાક બંધ બારણે ચર્ચા:ખોડલધામ ચેરમેને કહ્યું- માત્ર સામાજિક ચર્ચા; અગાઉ નિવૃત્તિના સંકેત આપ્યા હતા
    Next Article
    Rajkot News | સાંઢિયા પુલના ઉદ્ઘાટન પહેલા પુલ પર કોર્પોરેશન દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment