Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં એકલિંગજી દાદાનો 30મો પાટોત્સવ યોજાયો:ભોલેશ્વર મંદિર પરિસરમાં હોમાત્મક લઘુરુદ્ર અને સ્નેહમિલન યોજાયું

    6 days ago

    હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે હિંમતનગર શહેર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા એકલિંગજી દાદાનો 30મો પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણીમાં મુખ્ય યજમાન સહિત 35 જેટલા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા. સવારથી શરૂ થયેલો હોમાત્મક લઘુરુદ્ર 7 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમ સાથે સંપન્ન થયો હતો. લઘુરુદ્રની પૂર્ણાહુતિ બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યજમાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આરતી બાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, અને ત્યારબાદ ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હવા પ્રદુષણ કરતા લોકો સામે કડક કાર્યવાહી:જગતપુરમાં ગ્રીન નેટ લગાવ્યા વિના માટીના ડમ્પરો નીકળતા AMCએ પકડ્યાં, દંડ વસૂલી છોડયા
    Next Article
    મોરબીમાં 600 આંગણવાડી બહેનોની ત્રણ દિવસની હડતાલ:19 માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment