Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓલ વેધર ટેકનોલોજીથી સજ્જ હશે જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન:30 એપ્રિલથી દોડશે, 6 કલાકમાં સફર પૂરી કરશે; પર્યટનને પ્રોત્સાહન મળશે

    2 days ago

    રેલવેએ જમ્મુ-કાશ્મીરના બર્ફીલા અને ઠંડા હવામાન માટે ખાસ ડિઝાઇન કરાયેલી વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે, જે 30 એપ્રિલથી જમ્મુથી શ્રીનગર સુધી દોડશે. આ માત્ર 6 કલાકમાં આ પ્રવાસ પૂર્ણ કરશે. ખાસ વંદે ભારત ટ્રેનમાં સિગ્નેચર સેમી-હાઈ-સ્પીડ જાળવી રાખવામાં આવશે. તેમાં પ્રથમ વખત એવી વિન્ટરાઇઝેશન (શિયાળુ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને માઇનસ ડિગ્રી તાપમાનમાં પણ સરળતાથી ચલાવવા સક્ષમ બનાવશે. ટ્રેનનું જમ્મુથી શ્રીનગર માટે ટ્રાયલ કરવામાં આવ્યું, જે 6 કલાકમાં શ્રીનગર પહોંચી. નવી વંદે ભારત ટ્રેનમાં છે અનેક વિશેષતાઓ ટ્રેનમાં અત્યાધુનિક હીટિંગ સિસ્ટમ જમ્મુ-કાશ્મીરના બર્ફીલા હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં અનેક અત્યાધુનિક હીટિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. પ્રથમ વખત પાણીની પાઇપલાઇનોને થીજી જવાથી બચાવવા માટે સેલ્ફ-રેગ્યુલેટિંગ હીટિંગ કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેબલ બાહ્ય તાપમાન અનુસાર તેની ગરમીને ઘટાડી કે વધારી શકે છે. પાણીની ટાંકીઓમાં 1800 વોલ્ટના સિલિકોન હીટિંગ પેડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાયો-ટાંકીઓ અને સહાયક ટાંકીઓમાં પણ ખાસ હીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્વચ્છતા પ્રણાલી પ્રભાવિત ન થાય. મુસાફરોની સુવિધા માટે મુખ્ય એર કન્ડીશનીંગ યુનિટમાંથી ખાસ ડક્ટ્સ દ્વારા શૌચાલયો સુધી ગરમ હવા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય શૈલીના શૌચાલયોમાં હીટર અને થર્મલ ઇન્સ્યુલેશન લગાવવામાં આવ્યું છે જેથી વેક્યુમ નિકાલ પ્રણાલી કાર્યરત રહે. સીસીટીવી કેમેરાથી સજ્જ છે 20 કોચવાળી ટ્રેન આ ટ્રેનની ગતિ 160 કિમી પ્રતિ કલાકની હશે. સંપૂર્ણપણે એરકન્ડીશન્ડ 20 કોચવાળી ટ્રેન સ્વચાલિત પ્લગ દરવાજા અને એલઇડી લાઇટિંગથી સજ્જ હશે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને ઊર્જા બચાવતી પુનર્જનિત બ્રેકિંગ પ્રણાલી લગાવવામાં આવી છે. જમ્મુ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક ઉચિત સિંઘલનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં આ વિશેષ વંદે ભારતનું સંચાલન પ્રવાસીઓ અને સ્થાનિક નિવાસીઓની માગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. રેલવેનો ઉદ્દેશ્ય મુસાફરોને સુવિધાજનક યાત્રા પ્રદાન કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    અંબાણી પરિવારના આંગણે રિહાના પર ચડ્યો ‘દેશી’ રંગ:રાધિકા, શ્લોકા અને ઈશા સાથે રમી ફૂલોની હોળી; રાધા-કૃષ્ણની પૂજા-આરતી કરી, ગાયને લાડુ ખવડાવ્યા
    Next Article
    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન:લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ; ક્યાંક કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ, તો ક્યાંક મતદાનનો બહિષ્કાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment