Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું:મનપાની ચૂંટણી માં શહેર ઉપપ્રમુખને ટિકિટ ન અપાતા 30 થી 40 કાર્યકરો સાથે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચ્યો

    10 hours ago

    ભાવનગર શહેર આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો, ભાવનગર મહાનગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જુદા જુદા વોર્ડમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખને ટિકિટ ન આપાતા તેને પોતાના કાર્યકરો સાથે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આમ, આગામી સમયમાં રાજકીય પક્ષોમાં ઉલટ-ફેરફારો થશે. જેમાં શહેર ઉપપ્રમુખ ડી.એન. મારૂએ આજે પાર્ટીના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી પોતાની ટીમ સાથે રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે તેમણે પાર્ટી પર ઉપેક્ષા અને જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો કર્યા છે, આ સાથે 30 થી 40 આપના કાર્યકરોએ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, ​રાજીનામા પાછળના આપના ડી.એન. મારૂએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી તેમણે રાત-દિવસ પાર્ટી માટે કામ કર્યું છે 2022ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં 'સ્ટાર પ્રચારક' તરીકે ઘરે-ઘરે જઈને પ્રચાર કરવા છતાં પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે, તેમણે પત્રમાં ગંભીરતાપૂર્વક નોંધ્યું છે કે, હું દલિત (અનુસૂચિત જાતિ) હોવાથી મારી કદર કરવામાં આવતી નથી. સતત કામ લેવા છતાં યોગ્ય માન-સન્માન ન મળતું હોવાનું તેમણે જણાવ્યું હતું, ​વધુમાં તેમણે યાદ અપાવ્યું કે વિરોધ પ્રદર્શનો, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા કે પોલીસ અટકાયત સહન કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા છે જ્યારે વડાપ્રધાન કે ગૃહમંત્રીના આગમન સમયે પણ તેમણે જેલવાસ ભોગવ્યો છે, છતાં પાર્ટીએ તેની નોંધ લીધી નથી, બીજું હરિયાણા, વિસાવદર, રાજકોટ અને ચોટીલા જેવા વિસ્તારોમાં પ્રચાર માટે તેઓ પોતાના ખર્ચે જતા હોવા છતાં પક્ષમાં તેમની કોઈ ગણના થતી નહોતી, ​જ્યાં માન-સન્માન ન જળવાતું હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. તેથી હું અને મારી ટીમ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ, ​આ રાજીનામું ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ને સંબોધીને મોકલી આપવામાં આવ્યું છે, ​ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાવનગરમાં 'આપ'ના પાયાના કાર્યકર અને હોદ્દેદારનું આ રીતે રાજીનામું પડવું એ પાર્ટી માટે મોટો ફટકો પડશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં રામ નવમી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ:રામ નવમીના શોભા યાત્રા રૂટ ઉપર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, 14 શોભાયાત્રા પર નજર
    Next Article
    કતલખાના અને મટન માર્કેટ બંધ રાખવા આદેશ:ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી બે દિવસ કતલખાના બંધ રાખવાનો નિર્ણય, વેપારી હુકમનું પાલન નહી કરે તો કડક કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment