Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડતા 30 પરિવારો રસ્તા પર આવી ગયા:માતાએ રડતા રડતા કહ્યું-'આ બાળકને ભૂખ લાગી છે, હું એને ખાવાનું ક્યાંથી લાવી આપું, અમે ક્યાં જઈએ?

    11 hours ago

    વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા અંબિકાધામ એપાર્ટમેન્ટના ગતરાત્રે બે માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેને પગલે 30 મકાનમાં રહેતા લોકો પરિવાર સાથે રસ્તા પર આવી ગયા છે. આખી રાત રહીશોએ રસ્તા પર વિતાવી હતી અને આજે બીજા દિવસે પણ ખાવાના ફાંફા છે. બે દિવસથી બાળકો અને રહીશો જમ્યા નથી. દિવ્ય ભાસ્કરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમયે રહીશો રસ્તા પર બેઠેલા જોવા મળ્યા અને રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડ્યા બાદ 30 પરિવારો રસ્તા પર પીડિત વર્ષાબેન ગોહિલે જણાવ્યું હતું કે, અમને હજુ સુધી કોઈ જ મદદ મળી નથી. બધું અચાનક જ ધરાશાયી થઈ ગયું. કાલ રાતથી અમે લોકો આવી રીતે રસ્તા પર બેઠા છીએ. ઘણા અધિકારીઓ આવ્યા હતા, ભથ્થુભાઈ આવ્યા હતા, રબારી સાહેબ આવ્યા હતા, પણ આવીને બધા જતા રહ્યા. અમને કોઈ વ્યવસ્થા મળી નથી. નાના બાળકોને લઈને અમે અત્યારે રોડ પર બેઠા છીએ. અમારા ખાવા-પીવાની કે રહેવાની કોઈ સગવડ થાય તો સારું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે અમે અને બાળકો બધા ઘરમાં જ હતા. ભગવાનની કૃપાથી અમે બચી ગયા, બાકી ખબર નહીં શું હાલત થાત! પણ એક બેન છે જે અત્યારે ખૂબ ગંભીર હાલતમાં છે. એ બેન બહાર ગેલેરીમાં ઊભા હતા અને અચાનક ત્રીજા માળેથી નીચે પડ્યા. હાલ તે ખૂબ જ ગંભીર છે અને ICUમાં દાખલ છે. તેમનું નામ તેજલબેન છે. અમે ક્યાં જઈએ અહીં અમારા કોઈ સગા વ્હાલા નથી- હેમાબેન પીડિત મહિલા હેમાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, અમે તો મૂળ ઉત્તરાખંડના છીએ, પણ અહીં ઘણા સમયથી રહીએ છીએ. અહીં અમારું કોઈ નથી સાહેબ. આ બાળકને ભૂખ લાગી છે, હું એને ખાવાનું ક્યાંથી લાવીને આપું? બાળક રડી રહ્યો છે કે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે... હું એને શું ખવડાવું? બાળકે કંઈ જ નથી ખાધું. અમે આખી રાત રોડ પર વિતાવી છે. બધા લોકો રોડ પર જ હતા. અમે ક્યાં જઈએ? અમારું અહીં કોઈ સગું-વહાલું નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મૂળ ઉત્તરાખંડના છીએ. મને અહીં રહેતા 15-16 વર્ષ થઈ ગયા છે. મારા લગ્ન થયા ત્યારથી હું અહીં જ રહું છું. ઘટના સમયે હું તો ઉપર ઘરની અંદર જ હતી. બાળકો નીચે હતા. બાળકો તો માંડ માંડ બચ્યા છે, પડતા-પડતા રહી ગયા. બે બાળકો હતા. એમની મમ્મી નીચે પડી ગઈ... હવે આ બાળકોને ભૂખ લાગી છે, હું ખાવાનું ક્યાંથી લાવું? અમે ક્યાં જઈએ? અમારું કોઈ નથી અમને દોરડા બાંધી નીચે ઉતારવામાં આવ્યા- પ્રાપ્તિ પવાર પ્રાપ્તિ પવારે જણાવ્યું હતું કે, ગત રાત્રે જ્યારે આ ઘટના બની, ત્યારે ખૂબ જ અફરાતફરીનો માહોલ હતો. જે બાજુથી રસ્તો સારો હતો ત્યાંથી કેટલાક લોકો નીચે ઉતર્યા હતા, પણ બાકીના લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા નીચે લાવવામાં આવ્યા હતા. અમને તો દોરડા બાંધીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. અમે રાતથી અહીં રસ્તા પર જ બેઠા છીએ. ગઈકાલે રાત્રે તો થોડો નાસ્તો કર્યો હતો, પણ આજે હજુ સુધી કશું જ જમ્યા નથી. નથી નહાવા-ધોવાની સગવડ કે નથી રહેવાની કોઈ વ્યવસ્થા. અમે લોકો પહેરેલા કપડે જ રસ્તા પર બેઠા છીએ. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. અમે બધા મધ્યમ વર્ગના લોકો છીએ. અમારામાંના ઘણા લોકોએ તો હજુ મકાનના હપ્તા પણ પૂરા ભર્યા નથી. આવી સ્થિતિમાં અમે ન તો ભાડે રહી શકીએ તેમ છીએ, ન તો નવું મકાન બનાવી શકીએ તેમ છીએ. અમારી એક જ માંગ છે કે સરકાર અમને ઘર બનાવી આપે, જેથી અમે અમારું ગુજરાન ચલાવી શકીએ. બાળકો પણ અમારી સાથે અહીં જ છે. ઘણા બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે, પણ તેમના પુસ્તકો અને સામાન બધું અંદર જ રહી ગયું છે. બાળકો ભૂખ્યા-તરસ્યા અમારી સાથે રસ્તા પર રઝળી રહ્યા છે. અત્યાર સુધી કોઈ સરકારી અધિકારી અમને મળવા કે અમારી સમસ્યા સાંભળવા આવ્યું નથી. વિદ્યાર્થીઓના પુસ્તકો ફ્લેટમાં જ રહી ગયા વિધાર્થીની માનસીએ કહ્યું હતું કે, અમારું ઘર કાલે સવારે 8:30 - 9:00 વાગ્યાની આસપાસ ગેલેરી તૂટી પડી હતી. મારા ભણવાના પુસ્તકો અને અન્ય તમામ સામાન હજુ પણ ઘરની અંદર જ છે. હવે અમારી પાસે પુસ્તકોની કોઈ વ્યવસ્થા નથી, તો અમે ભણી કેવી રીતે શકીએ? હવે માત્ર 10 દિવસમાં જ પરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યારે અમારી પાસે વાંચવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી. મારી સરકારને એક જ વિનંતી છે કે અમારા માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. અમને પુસ્તકો અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જ અમે આગળ ભણી શકીએ. નહીં તો આખું વર્ષ બગડશે તેવી અમને બીક છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તે ICUમાં છે. ફાયર બ્રિગેડે 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે બારીઓ કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. અસરગ્રસ્તોને વુડાના ખાલી મકાન આપવા રજૂઆત પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને મળીને માનવતાના ધોરણે રહીશોને વુડાના ખાલી મકાનો ફાળવવા માટે રજૂઆત કરી હતી અને આ મામલે તથા તટસ્થ તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાએ મોડે મોડે નોટીસ આપી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા જેલમાં બંધ કાચા કામના કેદીનું મોત:ગભરામણ થયા બાદ સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા, બે કામદારોના આકસ્મિક મોતના કેસમાં જેલમાં હતા
    Next Article
    ચિરાગ ગોટીનો ટ્રાન્સફર વોરંટના આધારે બીલીમોરા પોલીસે કબ્જો લીધો:રિકન્સ્ટ્રક્શનમાં ચહેરા પર કોઈ પસ્તાવો જોવા ન મળ્યો, હસતા હસતા કહ્યું- 'હું ક્યાં એટલો મોટો હતો મીડિયાએ મોટો બનાવ્યો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment