Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રૂડના ભાવ વધતા રેપિયર જેકાર્ડ ઉદ્યોગ સંકટમાં:નવા સોદામાં 30% ભાવ વધારો ઝીંકાયો, પેમેન્ટમાં વિલંબ કરનારા થશે બ્લેકલિસ્ટ, સો. મીડિયા પર 'ભાવ વધારા' અંગે માહિતી આપશે

    11 hours ago

    વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાની સીધી અસર હવે સુરતના શાન સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના સચિન GIDC ખાતે આજે રેપિયર જેકાર્ડ એસોસિએશનની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં યાર્ન અને ઝરીના રો-મટીરિયલમાં થયેલા 40% સુધીના ભાવ વધારા સામે લડવા માટે કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. સચિન GIDCમાં 900થી વધુ વિવર્સની બેઠક સુરતની શાન ગણાતી 70 હજાર કરોડની રેપિયર જેકાર્ડ ઇન્ડસ્ટ્રી હાલ અત્યંત પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. એસોસિએશનના પ્રમુખ સી.કે. માનિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અંદાજે 900 જેટલા વિવર્સ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. પ્રમુખે જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે યાર્ન અને ઝરી જેવા રો-મટીરિયલમાં 30 થી 40% નો વધારો થયો છે. જેના કારણે હવે નવા સોદામાં 30% ભાવ વધારો કરવો અમારી મજબૂરી બની ગઈ છે. સોશિયલ મીડિયા પર 'ભાવ વધારા'નું અભિયાન વેપારીઓ અને ગ્રાહકોને ભાવ વધારાની સચોટ જાણકારી મળે તે માટે એસોસિએશને આધુનિક રસ્તો અપનાવ્યો છે. હવે દરેક વિવર પોતાના લેટરપેડ પર ભાવ વધારાની વિગતો લખીને મંગળવારથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સ એપ સ્ટેટસ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરશે. આ પારદર્શક પદ્ધતિ દ્વારા ટેક્સટાઈલ માર્કેટના તમામ વેપારીઓને નવા ભાવની જાણ કરવામાં આવશે. સુરતની 7,000 કંપનીઓ અને 4,000 વિવર્સ પર જોખમ સુરતમાં રેપિયર જેકાર્ડના અંદાજે 4,000 વિવર્સ છે અને 7,000 જેટલી નાની-મોટી કંપનીઓ આ વ્યવસાય સાથે જોડાયેલી છે. રો-મટીરિયલ મોંઘું થતા ઉત્પાદન ખર્ચ પણ 35% થી વધુ વધી ગયું છે. આ સ્થિતિમાં જો જૂના ભાવે કામ ચાલુ રાખવામાં આવે તો ઉદ્યોગ પડી ભાંગે એવી ભીંતિ છે. આથી જ એસોસિએશને એકસંપ થઈને આવતીકાલથી નવા સોદામાં 30% પ્લસ ભાવ સાથે કામ કરવાનો આદેશ આપ્યો છે. પેમેન્ટ સાયકલ માટે 45 દિવસની ડેડલાઈન બેઠકમાં પેમેન્ટને લઈને પણ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. હવેથી તમામ જૂના પેમેન્ટો જે 45 દિવસથી ઉપરના છે તે તાત્કાલિક ક્લિયર કરવાના રહેશે. નવા માલના વેચાણ પર મહત્તમ 45 દિવસની મુદત આપવામાં આવશે. જો વેપારી 45 દિવસમાં પેમેન્ટ નહીં કરે, તો તેના પર ફરજિયાત 1.5% વ્યાજ વસૂલવામાં આવશે. આ નિર્ણયથી વિવર્સની આર્થિક સ્થિતિને ટેકો મળશે. 90 દિવસથી વધુ વિલંબ કરનારા વેપારીઓ 'બ્લેકલિસ્ટ' થશે એસોસિએશને વેપારીઓ માટે લાલ આંખ કરતા જણાવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં પેમેન્ટ 90 દિવસની અંદર પૂરું કરવાનું રહેશે. જો કોઈ વેપારી 90 દિવસ સુધી પેમેન્ટ નહીં ચુકવે, તો એસોસિએશન દ્વારા તેવા વેપારીઓના નામ જાહેર કરવામાં આવશે અને તેમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આ યાદી પેપર અને સોશિયલ મીડિયામાં ખુલ્લી મૂકવામાં આવશે જેથી અન્ય વિવર્સ તેમની સાથે છેતરાય નહીં. ઓર્ડર મુજબ જ યાર્નની ખરીદી વર્તમાન અનિશ્ચિતતાને જોતા વિવર્સને સલાહ આપવામાં આવી છે કે, તેમની પાસે જેટલો ઓર્ડર હોય એટલા જ જથ્થામાં યાર્નની ખરીદી કરવી. બજારમાં માલનો ભરાવો ન થાય તે માટે વધારાનું પ્રોડક્શન ન કરવા સૂચના અપાઈ છે. જો કામ ન હોય તો મશીનો બંધ રાખીને પ્રોડક્શન કંટ્રોલ કરવા જણાવાયું છે, જેથી માર્કેટમાં સપ્લાય અને ડિમાન્ડનું સંતુલન જળવાઈ રહે. વેપારી મિત્રોને સહકાર આપવા અપીલ સી.કે. માનિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, "યુદ્ધની સ્થિતિ અને કાચા માલના ભાવ વધારાને કારણે અમારું કોસ્ટિંગ આસમાને પહોંચ્યું છે. અમે વેપારી મિત્રોને અપીલ કરીએ છીએ કે તેઓ આ પરિસ્થિતિને સમજે અને 30% ભાવ વધારા સાથે નવા સોદામાં સહકાર આપે." આ મજબૂરીના નિર્ણયમાં તમામ વિવર્સે એકજૂથ થઈને આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ-મહામંત્રીનું તળપદા કોળી સમાજ દ્વારા સન્માન:નમો કમલમ્ ખાતે નવનિયુક્ત હાર્દિક ટમાલીયા અને ભાવેશ મકવાણાને અભિનંદન આપ્યા
    Next Article
    વૈભવી બંગલોમાં તસ્કરો ત્રાટક્યા:ગાંધીનગરના સુઘડમાં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો, 44.90 લાખની મતાની ચોરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment