Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:નવા એકસપ્રેસ હાઇવે પર પુનગામ પાસે કાયમી જોડાણ મળશે, સ્થાનિક વાહનોનો 30 કિમીનો ફેરાવો ઘટશે

    11 hours ago

    મુંબઇ અને દીલ્હીને જોડતાં નવા એકસપ્રેસ હાઇવે પર દહેગામ બાદ હવે પુનગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બનાવવામાં આવશે. વડોદરા અને સુરત તરફ જતાં વાહનો પુનગામ પાસેથી એકસપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકે તે માટે એપ્રોચ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે આગામી ચાર મહિનામાં પૂર્ણ કરી દેવાનો અંદાજ છે. પ્રથમ વાસદથી દહેગામ વચ્ચે હાઇવેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે હાઇવેને કીમ સુધી ખુલ્લો મુકી દેવાયો હોવાથી ઓલપાડવાળા રસ્તાથી સુરત તરફ જતાં વાહનચાલકોનો 30 કીમીનો ફેરાવો અને દોઢ કલાકનો સમય બચી ગયો છે. દહેગામ પાસેથી સુરત તરફ જતાં વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થતાં હોવાથી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી. જેના કારણે અંકલેશ્વરના પુનગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ આપવામાં આવ્યો હતો પણ તેને બંધ કરી દેવાયો હતો. હવે ફરીથી પુનગામ પાસે સત્તાવાર રીતે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી ચાર મહિનામાં આ કામગીરી પુરી કરી દેવામાં આવશે. દર 25 કિમીના બદલે વિશેષ કિસ્સામાં 10 કિમીએ મંજૂરી આપી‎ નેશનલ એકસપ્રેસ હાઇવે પર બે એકઝીટ અને એન્ટ્રી પોઇન્ટ વચ્ચે 25 કિમીનું અંતર હોવું જરૂરી છે. ભરૂચમાં દહેગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ હોવાથી ત્યાંથી 25 કીમી દૂર સુધી એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટને મંજૂરી મળી શકે તેમ ન હતું. રાજયના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ આ મામલે સરકારમાં રજૂઆત કરી હતી. જેના પગલે નેશનલ હાઇવે ઓથોરીટીએ દહેગામથી માત્ર 10 કિમીના અંતરે આવેલાં પુનગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટને મંજૂર આપી છે. એશિયાની સૌથી મોટી જીઆઇડીસી એવા અંકલેશ્વર ના ઉદ્યોગો તેમજ પાનોલી ઉદ્યોગો હવે સીધા જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થી કનેક્ટ થઇ જશે. અંકલેશ્વર-પાનોલી ઉદ્યોગોનું દહેજ સહીત જીઆઇડીસી માં સીધું જોડાણ થશે. જેને લઇ ઉદ્યોગ તેમજ ટ્રાન્સ્પોટેશન ઉદ્યોગને ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    પ્રગતિશીલ ખેડૂતે કર્યા ધનના ઢગલાં:અણખીમાં 5 એકરમાં 15 ગાયોના સહારે રૂ. 7.5 લાખની કમાણી કરી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:જીપીસીબીના મતે જે કારખાનુ રેડઝોનમાં‎ છે તેના ફેકટરી લાયસન્સ માટે અરજી !‎‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment