Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગકોકના પબમાં આગ, 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થયા:પાર્ટી કરી રહેલા 60થી વધુ લોકો ઘાયલ; જીવ બચાવવા માટે લોકો ટોયલેટમાં સંતાયા

    2 days ago

    થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં રવિવારે મોડી રાત્રે એક બારમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા, જ્યારે 63 લોકો ઘાયલ થયા હતા. થાઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ વીજળીના સિસ્ટમમાં ખામી હોઈ શકે છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ લાગવાના કારણની તપાસ હજુ ચાલુ છે. ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે તેમને રાત્રે 12 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. લગભગ 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઇમારતનો મોટો ભાગ બળી ગયો હતો. ઘટનાસ્થળે હાજર એક સંગીતકારે જણાવ્યું કે વીજળી જવાથી થોડા સમય પહેલા સ્ટેજ પાસે લાગેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. ત્યારબાદ એક ધડાકાનો અવાજ આવ્યો અને જોતજોતામાં આખા પબમાં ધુમાડો ભરાઈ ગયો. તેમણે જણાવ્યું કે ઘણા લોકો જીવ બચાવવા માટે ઇમારતના પાછળના ભાગમાં આવેલા ટોયલેટમાં ઘૂસી ગયા હતા, જ્યાં શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું હતું. થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે તમામ મૃતદેહો મળી આવ્યા છે. બારમાં લાગેલી આગ સંબંધિત 5 તસવીરો… આગ પર અડધા કલાકમાં કાબૂ મેળવાયો, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું રિપોર્ટ્સ અનુસાર, ફાયર ફાઈટરોએ લગભગ અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. આ બાર બેંગકોકના ચાતુચક જિલ્લામાં આવેલો છે. સ્થાનિક સ્તરે તેને રોંગ બીયર ના લાટ ફ્રાઓ નામથી ઓળખવામાં આવે છે. તે વિસ્તારનું લોકપ્રિય રેસ્ટોરન્ટ અને મનોરંજન સ્થળ માનવામાં આવે છે. આગ ઓલવાયા પછીની તસવીરોમાં બારની બહાર મોટી સંખ્યામાં બોડી બેગ્સ રાખેલા જોવા મળ્યા. સમગ્ર વિસ્તારને પોલીસે ઘેરી લીધો હતો. અંદરનું ફર્નિચર, દિવાલો અને છત સંપૂર્ણપણે કાળી પડી ગઈ હતી. છતના કેટલાક ભાગો પણ ઉખડી ગયા હતા. ગવર્નરે કહ્યું- સજાવટથી ઝડપથી ફેલાઈ આગ બેંગકોકના ગવર્નર ચાચાર્ટ સિત્તિપુન્ત પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે કહ્યું કે બારની અંદર લાગેલી જ્વલનશીલ સુશોભન સામગ્રીને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ. જોકે, આગ લાગવાનું સાચું કારણ હજુ સ્પષ્ટ નથી અને તપાસ ચાલુ છે. આ દુર્ઘટના તાજેતરના વર્ષોમાં થાઈલેન્ડના સૌથી મોટા પબ અગ્નિકાંડ પૈકી એક છે. 2022માં એક મ્યુઝિક પબમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા હતા. જ્યારે, 2009માં બેંગકોકના સેન્ટિકા નાઈટક્લબમાં આતિશબાજી દરમિયાન લાગેલી આગમાં 66 લોકોના જીવ ગયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Kerala doctor lost 31 kg on an experimental obesity drug: What are side effects and challenges?
    Next Article
    રશિયા-ઈરાને ક્રિપ્ટોમાં ₹9.92 લાખ કરોડનો વેપાર કર્યો:દુનિયાની બેન્કિંગ સિસ્ટમથી અલગ નેટવર્ક બનાવ્યું; ડ્રોન, તેલ અને હથિયારો ખરીદ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment