Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરાઈ:શાસકોને અહંકાર છે કે તેઓ જ આવશે, પણ જનતા કંટાળી છે તેમજ 30 વર્ષના શાસન અને જનતાની અવગણનાનો અંત આવશે - કોંગ્રેસ પ્રભારી હરિભાઈ ભરવાડ

    1 day ago

    આગામી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉમેદવારોની પસંદગી માટેની શહેરના વાઘાવાડી રોડ સ્થિત આવેલ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડની અધ્યક્ષતામાં તમામ 13 વોર્ડના સંભવિત ઉમેદવારો માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો, આ પ્રક્રિયા સવારથી રાત્રી સુધી ચાલશે, ​શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિની સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને અત્યંત પારદર્શક રાખવામાં આવી છે જેમાં મેં પોતે પ્રભારીને વિનંતી કરી છે કે તેઓ દરેક ઉમેદવારને વ્યક્તિગત રીતે સાંભળે અને આ પ્રક્રિયા દરમિયાન હું પોતે પણ હાજર રહીશ નહીં, જેથી દરેક દાવેદાર મુક્તપણે પોતાની રજૂઆત કરી શકે, શહેર પ્રમુખે ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શહેરની જનતા વર્તમાન ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે અને આ વખતે ચૂંટણીમાં ભાજપને જાકારો આપી કોંગ્રેસનો 100 ટકા વિજય થશે તેવો માહોલ અત્યારથી જ જણાઈ રહ્યો છે. ​સવારથી જ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી, વોર્ડ નંબર 1 થી 13 સુધીના તમામ ઉમેદવારો માટે સવારના 10 થી રાત્રિના 8:30 સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કે વોર્ડ વાઈઝ કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળ્યો તે જોતા કોંગ્રેસ આ વખતે મનપાની ચૂંટણીમાં મજબૂત દેખાવ કરશે તેવો આશાવાદ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીના આયોજનના ભાગરૂપે અમે દરેક વોર્ડમાંથી કોણ ઇલેક્શન લડવા માંગે છે, એવા મિત્રોને પર્સનલી મળવા માટેનો એક પ્રોસેસ અમે ચાલુ કર્યો છે,અમારી મહેનત અને કાર્યકર્તાનો ઉત્સાહ એવો છે કે કોર્પોરેશનની કોઈપણ સંજોગોમાં બહુમતી લાવવા માટેના અમારા પ્રયત્નો છે, મુદ્દા તો દરેક વોર્ડમાં જનરલી જુદા જુદા હશે, પણ જનરલ મુદ્દાઓ જે છે કે રોડ, પાણી, વીજળી, ગટર... આના તરફ પણ કોઈએ ધ્યાન આપ્યું નથી અને 30 વર્ષથી શાસન છે એટલે જે અત્યારના શાસનકર્તાઓ જે છે ને, એને તો જાણે એમ છે કે અમે કઈ કરીએ કે ના કરીએ, પણ આવવાના તો અમે જ છીએ. એટલે લોકોની જે અવગણના થઈ છે ને, એ અવગણનાથી લોકો કંટાળ્યા છે અને એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે, વ્યૂહરચના તો અમે નહીં કહી શકીએ ટીવી ઉપર, પણ અમારા પ્રયાસ એ રહેવાના છે કે આ વખતે અમે 100 ટકા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમને સફળતા મળે એવી... 'વ્યૂહરચના' શબ્દ હું નથી કહેતો પણ એવી અમારી કોશિશ અને અમારી મહેનત રહેશે.
    Click here to Read More
    Previous Article
    BCG ચૂંટણીની મતગણતરી શરૂ:ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે 10 દિવસ મત ગણતરી ચાલે તેવી શક્યતા, પહેલા હોદ્દેદારોનું પરિણામ આવશે
    Next Article
    પંચમહાલ SOGએ 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક ઝડપ્યો:જપ્ત કરાયેલી એમ્બરગ્રીસની બજાર કિંમત 76 લાખ 80 હજાર રૂપિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment