Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇ.વી. વાહનોની ખરીદી વધી:શહેરની જુદીજુદી કંપનીઓમાં 30થી વધુ ટુ-વ્હીલર, ફોર વ્હિલરનું બુકિંગ

    11 hours ago

    ગુજરાતમાં પેટ્રોલ ડિઝલની અછતની અફવા બનાસકાંઠા સુધી પહોંચી હતી. જ્યાં પેટ્રોલપંપે વાહનોની કતારો લાગી હતી. આવી સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં પાલનપુરમાં 8થી વધુ જુદી જુદી કંપનીના શો રૂમમાં 30થી વધુ ટુ-વ્હિલર અને ફોર વ્હિલર વાહનોનું વેચાણ થયું હતુ. બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડિઝલ અને ગેસથી સંચાલિત વાહનોની સાથે સાથે ઇ.વી. વાહનોની પણ ખરીદી વધી રહી છે. આ અંગે પાલનપુરમાં ઇલેકટ્રીક વ્હિકલની કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, ત્રણ દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર ''પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે તેવી ઉડેલી અફવા બાદ પાલનપુરમાં 20 જેટલા નવા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં ટુ-વ્હિલરની સંખ્યા વધુ છે. આ ઉપરાંત વિવિધ શો-રૂમમાં છેલ્લા 72 કલાકમાં 30થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના બુકિંગ નોંધાયા છે. આ અંગે પાલનપુરના હર્ષિત પટેલે જણાવ્યું કે, પહેલા ઇ.વી. વાહનોની બેટરી લાઈફ બાબતે શંકા હતી. પરંતુ હવે કંપનીઓ દ્વારા અપાતી લાંબી વોરંટી અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે મે ઇલેકટ્રીક બાઇક ખરીદ્યું છે. બનાસકાંઠામાં 50 હજાર ઉપરાંત ઇ.વી. વાહનો બનાસકાંઠા આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 50,000થી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને રિક્ષાઓ નોંધાઇ છે. ખાસ કરીને ખેતીવાડી અને સ્થાનિક ટ્રાન્સપોર્ટમાં પણ ઇલેક્ટ્રિક રિક્ષાનું પ્રમાણ વધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પ્રજાજન પરેશાન:પાલનપુરમાં ધનિયાણા ચોકડીએ ગટર નાખ્યા બાદ મહિનાથી રોડ બન્યો નથી
    Next Article
    આજે રામનવમી:આજે પાલનપુરમાં 29 વિસ્તારોના 8 કિમી લાંબા રૂટ પર 7-8 કલાક શ્રી રામ નગરચર્યાએ નીકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment