Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનું સાબરમતી નદી સફાઈ અભિયાન કે ફોટો સેશન?:અમદાવાદમાં મંત્રીઓ, ધારાસભ્યો અને નવનિયુક્ત કોર્પોરેટરો માત્ર 30 મિનિટમાં ફોટા પડાવી રવાના

    1 सप्ताह पहले

    અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આજે 2 જૂનથી 5 જૂન સુધી સાબરમતી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી ગાંધી આશ્રમ પાસેના નદીના પટમાં સવારે 8 વાગ્યે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, દર્શનાબેન વાઘેલા, ધારાસભ્યો અને નવનિયુક્ત કોર્પોરેટરો તેમજ મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓ માત્ર નદીમાં ફોટો સેશન કરાવવા માટે ઉતર્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ભાજપના નવનિયુક્ત કોર્પોરેટરોમાંથી 50 ટકા કોર્પોરેટરો તો સાબરમતી નદીના પટમાં ઉતર્યા નહોતા. 30 મિનિટમાં જ સકેલાઈ ગયો કાર્યક્રમ સાબરમતી નદીમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. રજના મંત્રી ઋષિકેશ પટેલ 8 વાગ્યે સાબરમતી નદી ખાતે પહોંચ્યા હતા, જ્યાં 20 મિનિટ જેટલી સાબરમતી નદીની સફાઈ કરી હતી અને ફોટો સેશન કરાવ્યું હતું. ભાજપના ધારાસભ્યો પણ તેમના મતવિસ્તારના કોર્પોરેટરો સાથે ફોટોસેશન કરાવ્યું હતું. ત્યારબાદ નવ નિયુક્ત કોર્પોરેટરો સફાઈ અભિયાનમાં શ્રમદાન કરી અને ખરેખર સ્વચ્છતાનો મેસેજ આપવાનો હોય, તેના જગ્યાએ મંત્રી ઋષિકેશ પટેલની સાથે તેઓ પણ રવાના થઈ ગયા હતા. 30 મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ કરી મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો સાબરમતી ગાંધી આશ્રમથી રવાના થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત શાહ, કૌશિક જૈન, ડો. હર્ષદ પટેલ એમ ત્રણ ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. પ્લાસ્ટિક કચરાના બદલે માત્ર ઘાસ કાપી સંતોષ મનાયો સાબરમતી નદી સફાઈ અભિયાનમાં મેયર હિતેશ બારોટ સહિતના મુખ્ય પદાધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અધિકારીઓ, NCC, પોલીસ અને વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી. સાબરમતી નદીની સફાઈ કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નદીના પટમાં જ્યાં સફાઈ કરવાની હતી, તેના થોડી આગળના ભાગે જ પાણી ભરેલું હતું. નદીના પટમાં ઊગેલા ઘાસને મંત્રી ઋષિકેશ પટેલ, દર્શનાબેન વાઘેલા, ભાજપના ધારાસભ્યો, મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી અંજુબેન શાહ, દંડક અતુલ મિશ્રા સહિતના પદાધિકારીઓ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં ખરેખર પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ખરાબ વસ્તુઓને દૂર કરવાની હતી. જોકે, જે ઘાસ ઉગેલું હતું તેને દૂર કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ સુધી વિશેષ સફાઈ અભિયાન વાસણા બેરેજના દરવાજા રિપેરિંગ કરવાના હોવાથી નદીને ખાલી કરવામાં આવી છે. નદીના પટમાં રહેલા કચરા, પ્લાસ્ટિક, જંગલી વનસ્પતિ તથા અન્ય અવરોધોને દૂર કરવા અને નદીના બંને કાંઠાની સ્વચ્છતા જાળવવા માટે 02 જૂનથી 05 જૂન એટલે કે, વિશ્વ પર્યાવરણ દિવસ સુધી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આગામી 3 દિવસના સફાઈ અભિયાનનું શેડ્યૂલ
    Click here to Read More
    Previous Article
    ખોળામાં માસૂમ, સામે પતિનો પાર્થિવદેહ:પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી પડી, 17 દિવસ પહેલા પુત્રનો જન્મ થયો હતો; રાજસ્થાનમાં સેનાના ગ્રેનેડિયરનું અકસ્માતમાં નિધન; માસૂમે આપી મુખાગ્નિ
    Next Article
    જમીન દફતર વિભાગનું વિકેન્દ્રીકરણ:138 જગ્યાઓ હવે તાલુકા કક્ષાએ કાર્યરત થશે, નાગરિકોને તાલુકા સ્તરે મળશે જમીન સંબંધિત સેવાઓ; મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment