Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ફાયર વિભાગે હોસ્પિટલ કર્મચારીઓને તાલીમ આપી:શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલના 30 સ્ટાફને આગ સામે સુરક્ષા શીખવાડાઈ

    7 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના 30 કર્મચારીઓને આગ સામે રક્ષણ અને સાવચેતી અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ 9 મે, 2026ના રોજ સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન યોજાયો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ આગની ઘટના સમયે દર્દીઓ અને મિલકતની સુરક્ષા કેવી રીતે કરવી તે હેતુથી આ સેમિનારનું આયોજન કરાયું હતું. ફાયર ઓફિસર જયભાઈ રાવલ અને મયુરસિંહ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવાની સાચી રીતનું જીવંત નિદર્શન કરાયું હતું. આગ લાગે ત્યારે ગભરાયા વિના દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા (ઇવેક્યુએશન) અને હોસ્પિટલમાં કાર્યરત ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ તથા અન્ય ઉપકરણોને કાર્યરત રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં અશક્ત દર્દીઓ હોવાથી, ત્યાંના સ્ટાફને પ્રાથમિક આગ બુઝાવવામાં નિષ્ણાત હોવું અત્યંત અનિવાર્ય છે. આગામી સમયમાં અન્ય સંસ્થાઓમાં પણ આવી તાલીમ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગરમાં મધર્સ ડે ઉજવાયો:આદર્શ પુત્રવધૂ અને સાસુનું વિશેષ સન્માન કરાયું
    Next Article
    ભરતનગરમાં ધારિયું, ધોકા અને ઢીકાપાટુ વડે યુવક પર તૂટી પડ્યા:'બન્ના ગ્રુપનું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું', ત્રણ શખસ સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment