Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં બે હિંસક વાનરો પાંજરે પુરાયા:30થી વધુ લોકો પર હુમલા કરી ઘાયલ કર્યાં, ત્રીજા હિંસક વાનરને પાંજરે પૂરવા કવાયત

    8 hours ago

    કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે વાનર રાજ ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને જી.ઈ.બી. કચેરી અને સિન્ટેક્ષ કંપનીના કમ્પાઉન્ડને પોતાનો અડ્ડો બનાવી બેઠેલા બે હિંસક કપિરાજનો આતંક એટલો વધી ગયો હતો કે લોકો રસ્તા પર નીકળતા ડરતા હતા. આ બંને હિંસક વાનરોએ અત્યાર સુધીમાં 30થી વધુ લોકોને ઓચિંતા હુમલા કરી બચકા ભરીને લોહીલુહાણ કરી મૂક્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આખરે વન વિભાગ દ્વારા બંને ખૂંખાર વાનરોને પાંજરે પૂરવામાં આવતા લોકોએ મોટી રાહત અનુભવી છે. GEB કચેરીનો વાનરોએ અડ્ડો બનાવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ આ હિંસક કપિરાજે જી.ઈ.બી. કચેરીને પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. ઓફિસ આવતા કર્મચારીઓ પર કમ્પાઉન્ડમાં ઝાડ પરથી કૂદીને હુમલો કરવાનો એક સિલસિલો શરૂ થયો હતો. આ દરમિયાન ઓફિસે વીજ બિલ ભરવા આવેલા એક આધેડ પર વાનરે ઘાતકી હુમલો કરી દીધો હતો અને તેને બચકા ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યાં હતા. કંપનીના 25 કામદારો પર હુમલો કર્યો આ જ રીતે સિન્ટેક્ષ કંપનીમાં કામ કરતા 25થી વધુ કામદારો પણ વાનરોના હુમલાનો શિકાર બન્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સતત ડરના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાતા હતા. આ અંગે ફરિયાદ મળતા વન વિભાગ દ્વારા વાનરોને પકડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું. વન વિભાગ અને NGOની મદદથી વાનર પાંજરે પૂર્યાં વન વિભાગ દ્વારા અત્રેના સંભવિત વિસ્તારોમાં લોખંડના પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ કામગીરીમાં સદભાવના ફાઉન્ડેશન નામની NGOની ટીમ પણ વન વિભાગની મદદ માટે આગળ આવી હતી. સદભાવના ફાઉન્ડેશનના સભ્યો અને વન વિભાગના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને આજે આખરે સફળતા મળી છે. બંને ખૂંખાર કપિરાજને સિન્ટેક્ષ કંપનીના કમ્પાઉન્ડમાંથી પાંજરે પૂરીને ઝડપી લેવામાં આવ્યા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો છે. જોકે બે વાનરો પકડાવા છતાં સ્થાનિક લોકોનો ડર પુરેપુરો ઓછો થયો નથી. આ ગેંગનો એક ત્રીજો સાથીદાર હજુ પણ શેરીસા વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે. તેણે પણ અનેક લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા છે. આ ત્રીજા આતંકી વાનરને પકડવા માટે વન વિભાગની ટીમો દ્વારા હવે શેરીસા વિસ્તારમાં પાંજરા ગોઠવીને અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને દિવસ-રાત દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને પણ સાવચેત રહેવા વિભાગ ધ્વારા અપીલ કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં 4 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ:આરોપી અને ફરિયાદી વચ્ચે અગાઉની અંગત અદાવતમાં ફાયરિંગ, 4 આરોપી રાઉન્ડઅપ
    Next Article
    How Norway Turned Every Citizen Into a Millionaire | Norway Country

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment