Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાપુરમાં ચોરી અને ગીતામંદિર પાસે લૂંટ:વેપારીની સાથે ફુલહાર કરીને રહેતી મહિલા કબાટમાંથી 30 લાખની સોનાના કોઈન લઈને ફરાર

    8 hours ago

    અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા વેપારી સાથે ફુલહાર કરીને સાથે રહેતી મહિલા કબાટમાંથી ₹30 લાખની કિંમતના સોનાના 2 કોઈન ચોરીને નાસી છૂટી હોવાની ઘટના સામે આવી છે. બીજા એક બનાવમાં નવસારીથી અમદાવાદ આવેલા શાકભાજીના વેપારીને ગીતામંદિરથી એપીએમસી જતી વખતે રિક્ષામાં બેઠેલા શખ્સોએ છરી બતાવી ₹40 હજારની લૂંટ ચલાવી હતી. બંને ઘટના સંદર્ભે વસ્ત્રાપુર અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરિચિત મહિલા કબાટમાંથી ₹30 લાખના સોનાના કોઈન ચોરી ગઈ વસ્ત્રાપુરમાં રહેતા વેપારી રાકેશ અગ્રવાલે પત્નીના અવસાન બાદ વર્ષ 2023માં સુશીલા અગ્રવાલ સાથે ફુલહાર કર્યા હતા. રાકેશભાઈના ઘરના કબાટમાં ₹45 લાખની કિંમતના 3 સોનાના કોઈન મૂકેલા હતા. થોડા દિવસ અગાઉ સુશીલાની દીકરી અને જમાઈ ઘરે આવીને 5 દિવસ રોકાયા બાદ પરત ગયા હતા. તે પછી રાકેશભાઈએ કબાટમાં તપાસ કરતાં ₹30 લાખની કિંમતના 2 સોનાના કોઈન ગાયબ મળ્યા હતા. પૂછપરછમાં સુશીલાએ ગોળ-ગોળ જવાબો આપતાં આખરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે. ગીતામંદિર પાસે રિક્ષામાં છરી બતાવી ₹40 હજારની લૂંટ નવસારીના બલિરામ યાદવ શાકભાજી ખરીદવા 17 જુલાઈના રોજ એસટી બસ મારફતે ગીતામંદિર આવ્યા હતા. તેઓ ત્યાંથી એપીએમસી માર્કેટ જવા માટે રિક્ષામાં બેઠા, જેમાં ડ્રાઇવર ઉપરાંત અન્ય 3 શખ્સો પહેલેથી જ હાજર હતા. રસ્તામાં એક શખ્સે છરી બતાવી બલિરામ પાસે રહેલા ₹40,000 લૂંટી લીધા હતા અને તેમને રસ્તા વચ્ચે ઉતારીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બિહાર બંધ- પટનામાં પથ્થરમારો, સીવાનમાં ફાયરિંગ:પેપર લીક મામલે 6 જિલ્લામાં ઉગ્ર પ્રદર્શન, ભાગલપુરમાં લાઠીચાર્જ, SP ઘાયલ; પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા
    Next Article
    'આખા જીવનની પૂજી આ પાણીમાં ગરકાવ થઈ ગઈ...':'હવે લાગતું નથી કે અમે કંઈ ભેગું કરી શકીએ'; નવસારીના અનેક વિસ્તારોમાં પુર બાદની તારાજીનો ચિતાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment