Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 સેકન્ડમાં જ સુભાષબ્રિજના ત્રણ સ્પાન કડડભૂસ, CCTV:નવો બ્રિજ બનાવવા સુરક્ષિત રીતે ડિમોલિશન કરવામાં આવ્યું, આગામી મે મહિનામાં તૈયાર થવાની શક્યતા

    2 days ago

    શહેરના સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાની કામગીરી અંતર્ગત બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડીને નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરી નો ઉપયોગ કરી અને સાવચેતી પૂર્વક અત્યારે બ્રિજની કામગીરી અંતર્ગત પાન ઉતારી લેવામાં આવ્યા છે. બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા સંપૂર્ણપણે પિલ્લર સાથે સુભાષ બ્રિજનું ડિમોલેશન કરવા અંગેનો રિપોર્ટ આપ્યા બાદ બ્રિજની ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બ્રિજ પર આવેલા સ્પાનને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશન દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી તબક્કામાં પણ નિર્ધારિત આયોજન મુજબ સલામતીના તમામ માપદંડોનું પાલન કરીને બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત ડેબ્રીઝ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી મે મહિનામાં નવો બ્રિજ તૈયાર થઈ શકે સંપૂર્ણ બ્રિજને તોડીને હવે નવો બનતાં હવે 9 મહિનાની જગ્યાએ અંદાજિત 16 મહિના એટલે એપ્રિલ અથવા મે-27માં બ્રિજ બનીને તૈયાર થશે. શહેરના સુભાષબ્રિજમાં ખામીના કારણે બ્રિજને સંપૂર્ણપણે ડિમોલિશન કરવાની જગ્યાએ માત્ર સુપર સ્ટ્રક્ચર તોડવાનો નિર્ણય અગાઉથી લઈ લેવામાં આવ્યો હતો. પરંતુ ડિમોલેશનની પ્રક્રિયા દરમિયાન હયાત બ્રિજમાં સ્પાન અને પિલ્લરમાં નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થતા આખો બ્રિજ તોડીને નવો બનાવવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બરે સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હતો ગઈ 4 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. એ બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નાઇટ ડ્રાઇવ, પંજાબી સોન્ગ,બાઇક પર ગમછાવાળા શૂટર ને ફાયરિંગ, VIDEO:મમ્મી-મમ્મીની બૂમો પાડી ગારમેન્ટ વેપારીએ ગાડી સાઇડમાં લીધી; વડોદરામાં 5 દિવસ બાદ પણ આરોપીઓ ફરાર
    Next Article
    વલસાડમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી:મોટા બજાર પાસે વ્હોરા મસ્જિદ સામે ઘટના, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment