Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસૂલ વિભાગમાં જિલ્લા ફેરબદલીનો મોટો આદેશ:વર્ગ-3ના 71 કર્મચારીઓની બદલી; ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ પોસ્ટિંગ

    1 day ago

    રાજ્યના મહેસૂલ વહીવટ તંત્રને વધુ કાર્યક્ષમ અને સંતુલિત બનાવવાના હેતુથી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના મહેસૂલ વિભાગે જિલ્લા ફેરબદલી અંતર્ગત વર્ગ-3 સંવર્ગના 71 કર્મચારીઓની બદલીનો મોટો આદેશ જાહેર કર્યો છે. મહેસૂલ વિભાગના સચિવાલય, ગાંધીનગર દ્વારા 20 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, વિવિધ જિલ્લાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને નવી જગ્યાએ નિયુક્તિ આપી દેવામાં આવી છે. આ જિલ્લાઓમાં મોટા પાયે ફેરબદલ કરાયા મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ બદલી પ્રક્રિયામાં રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ગાંધીનગર, અમદાવાદ, સુરત, નવસારી, ભાવનગર, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની અરસપરસ કે ખાલી જગ્યાઓ પર બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને જામનગર જેવા જિલ્લાઓમાંથી પણ અનેક કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં માનવબળની જરૂરિયાત અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ભથ્થું નહીં મળે, ફરી બદલીની માંગ પણ અમાન્ય મહેસૂલ વિભાગના આદેશમાં કર્મચારીઓ માટે કેટલીક કડક શરતો અને સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે: વહીવટી હવાલા સોંપીને જ રિલીવ થવા આદેશ વિભાગે પોતાના સત્તાવાર હુકમમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, સંબંધિત કર્મચારીઓએ પોતાના હસ્તકના જિલ્લા કક્ષાના તમામ વહીવટી હવાલાઓ અને કામગીરી પૂર્ણ કરીને જ નવી જગ્યાએ જવા માટે રિલીવ (મુક્ત) થવાનું રહેશે. આ ઉપરાંત, જે કર્મચારીઓ સામે હાલમાં કોઈ શિસ્તભંગ કે અન્ય વહીવટી તપાસ-કાર્યવાહી ચાલુ હોય, તેમના મામલે પણ નિયમોનુસાર જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ વ્યાપક ફેરબદલથી મહેસૂલ વિભાગની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બે સગીરાઓ પર અવારનવાર દુષ્કર્મ:વાવડીમાં 14 વર્ષીય દીકરીને રાતેના ઘરેથી ભગાડી ગયો, થોરાડમાં ધો.9માં ભણતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીરસંબંધ બાંધ્યા
    Next Article
    ભૂતિયા ડિમોલિશન મુદ્દે 22 દિવસે સુરત મ્યુ. કમિશનરનો મોટો ધડાકો:એમ. નાગરાજને સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં લાઇન દોરીની કામગીરી સમયે ડિમોલિશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment