Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો:ધુળેટી સમયે થયેલા ઝઘડાનો ખાર રાખી શિવાજી સર્કલ પાસે 3 શખસોએ મળી યુવક પર હુમલો કર્યો

    20 hours ago

    ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક ગતરાત્રીના ધુળેટીના દિવસે થયેલી બોલાચાલીનું વેરભાવ રાખીને 3 શખ્સોએ એક યુવાન ને ઢીકા-પાટુ નો મારમારી છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવાન ને વાંસા અને ખંભા પાસે ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે કાળુ ઉર્ફે 302 સહિત બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા જીતુભાઈ છગનભાઈ ડોડિયા (ઉ.વ. 44)એ ફરિયાદ નોંધાવી છે કે, ગત મોડીરાત્રીના તેઓ શિવાજી સર્કલ ખાતે શાકભાજીના થડા પર બેઠા હતા ત્યારે તેમના મિત્રના દિકરાએ આવી જાણ કરી કે તેમના દીકરા જેનીસ પર છરીથી હુમલો થયો છે અને તેને રીક્ષામાં દવાખાને લઈ જવાયો છે. આ માહિતી મળતા જ તેઓએ તેમના નાના ભાઈને ફોન કરી બનાવની જાણ કરી અને બંને સર-ટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જેનીસ ન મળતા દિકરીનો ફોન આવ્યો કે જેનીસ ઘરે આવી ગયો છે. ઘરે પહોંચી તપાસ કરતા જેનીસને વાંસાના ભાગે ત્રણ ટાંકા અને જમણા ખંભા પાસે ઇજા જોવા મળી હતી. જેણે જણાવ્યા મુજબ, તે પોતાના મિત્રો સાથે શિવાજી સર્કલ શ્રીજી પાનના ગલ્લાની બાજુમાં ક્રિષ્ના બેકરી પાસે પાસે બેઠો હતો ત્યારે કાળુ ઉર્ફે 302 તથા બે અજાણ્યા શખ્સો આવ્યા અને ગાળો આપતા વિવાદ થયો હતો. જેનીસે ગાળો ન આપવા કહેતા કાળુ 302 એ મારમાર્યો અને અન્ય શખ્સે છરીથી હુમલો કર્યો હતો, જ્યારે ત્રીજા શખ્સે પણ મારપીટ કરી હતી. આસપાસ લોકો ભેગા થતા શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા, જ્યારે પિતા એ તેના દીકરાને ક્યાં કારણસર મારમાર્યો તે અંગે જાણવા પ્રયાસ કરતા,જણાવ્યું કે આ લોકો સાથે ધુળેટીના દિવસે થયેલી બોલાચાલીનો વેર રાખીને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થતા જેનીસને 108 મારફતે સર-ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ મામલે ઘોઘારોડ પોલીસે કાળુ ઉર્ફે 302 તથા બે અજાણ્યા શખ્સો સામે BNS કલમ 115(2), 118(1), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં રંગેચંગે નીકળી રામનવમીની ભવ્ય શોભાયાત્રા:ડીજેના તાલે અને આતશબાજી સાથે શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પસાર, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ડ્રોન અને ધાબા પરથી બાજ નજર
    Next Article
    ગોધરામાં કાકણપુર રામપુરા ગામે હડકાયા શ્વાનનો હુમલો:2 વર્ષની બાળકી અને વાછરડાને ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment