Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે ટ્રેક પર સિંહણ અને બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ:​જૂનાગઢ-વિસાવદર રેલવે લાઇન પર મધરાત્રે 3 સિંહણ અને 7 બચ્ચાનો જમાવડો: વન વિભાગની સતર્કતાથી ટ્રેન પસાર થાય તે પહેલા જ વન્યપ્રાણીઓનું સુરક્ષિત સ્થળાંતર

    9 hours ago

    ​જૂનાગઢનું ગિર જંગલ અને તેની આસપાસનો વિસ્તાર એ એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. અવારનવાર આ ડાલામથ્થાઓ જંગલની સીમ છોડીને માનવ વસાહત કે રેલવે ટ્રેક નજીક આવી ચડતા હોય છે, જેના કારણે ભૂતકાળમાં અનેક દુર્ઘટનાઓ પણ સર્જાઈ છે. જોકે, ગત રાત્રિના સમયે જૂનાગઢ વન વિભાગ અને રેલવે વિભાગના સંકલનથી એક મોટી દુર્ઘટના ટળી છે અને વન્યપ્રાણીઓના સંરક્ષણની દિશામાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે જો તંત્ર સતર્ક હોય તો વન્યજીવો અને વિકાસના પ્રોજેક્ટ્સ વચ્ચે સંતુલન જાળવી શકાય ગત મોડી રાત્રે જૂનાગઢ વન વિભાગના ડુંગર દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતી જૂનાગઢ-વિસાવદર રેલવે લાઇન પર વન્યપ્રાણીઓની હલચલ જોવા મળી હતી. જંગલની શાંતિ વચ્ચે 3 સિંહણો અને તેમના 7 નાના બચ્ચાનો સમૂહ અચાનક રેલવે ટ્રેક પર આવી ચડ્યો હતો. મધરાતનો સમય હોવાથી અને આસપાસ ગાઢ ઝાડીઓ હોવાથી વન્યપ્રાણીઓને ટ્રેક પરથી પસાર થવામાં જોખમ રહેલું હતું. ખાસ કરીને નાના બચ્ચાઓની હાજરીને કારણે વન વિભાગ માટે આ એક અત્યંત સંવેદનશીલ કામગીરી બની ગઈ હતી. ​આ બાબતની જાણ થતા જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વન વિભાગ અને રેલવે વિભાગના સંયુક્ત પ્રોટોકોલ મુજબ, રેલવે ટ્રેક પર સિંહોની હાજરી હોવાથી તાત્કાલિક સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો હતો જેથી તે રૂટ પરથી પસાર થતી ટ્રેનોની ગતિ પર નિયંત્રણ લાવી શકાય અથવા તેને જરૂર જણાય તો રોકી શકાય. વન વિભાગના ટ્રેકર્સ અને ગાર્ડ્સ દ્વારા અત્યંત કુશળતાપૂર્વક, વન્યપ્રાણીઓને ડરાવ્યા વગર કે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર, ધીરે ધીરે સલામત રીતે રેલવે ટ્રેક ક્રોસ કરાવવામાં આવ્યો હતો. આખી પ્રક્રિયા દરમિયાન સ્ટાફ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી કે સિંહણ અને તેના બચ્ચા ગભરાઈને આડાઅવળા ન દોડે. ​સોશિયલ મીડિયામાં વારંવાર સિંહોના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ પડદા પાછળ વન વિભાગનો સ્ટાફ રાત-દિવસ જોયા વગર આ રીતે વન્યજીવોનું રક્ષણ કરતો હોય છે. જૂનાગઢ વન વિભાગની આ કામગીરીની પ્રશંસા પંથકના પ્રકૃતિ પ્રેમીઓ કરી રહ્યા છે. વન્યપ્રાણી અને ટ્રેન વચ્ચે સર્જાતા અકસ્માતો રોકવા માટે વન વિભાગ દ્વારા લેવામાં આવતા આવા પગલાં ગિરના સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. સફળતાપૂર્વક ટ્રેક ક્રોસ કર્યા બાદ આ સિંહ પરિવાર જંગલની સુરક્ષિત હદમાં પરત ફર્યો હતો, જેનાથી વન વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મોટા ભાઈના બર્થ-ડે પર નાના ભાઈનું ડૂબી જવાથી મોત:સંત સરોવર પાસે સાબરમતી નદીમાં પાંચ મિત્રો ન્હાવા પડ્યા હતા, કલોલનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ; ચારનો બચાવ
    Next Article
    Gujarat Pre Monsoon Rains LIVE | કરા સાથે ભયાનક વરસાદ | Saurashtra | Uttar Gujarat | Kutch | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment