Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 પવિત્ર મંદિરોના નિર્માણ માટે ઉછામણી મહોત્સવ:પાલનપુરમાં આજે નૂતન રામજી મંદિર,જગન્નાથ મંદિર,અંબાજી મંદિરના નિર્માણ માટે ઉછામણી

    2 days ago

    પાલનપુરમાં ત્રણ પવિત્ર મંદિરોના નિર્માણ માટે ભવ્ય શિલાન્યાસ અને ઉછામણી મહોત્સવની તૈયારી તેજ બની છે. 26 માર્ચે યોજાનાર આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની અપેક્ષા છે. સમિતિ દ્વારા દાન અર્પણ માટે પણ વ્યાપક અપીલ કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બનનાર નૂતન મોટા રામજી મંદિર, શ્રી જગન્નાથ ભગવાન મંદિર અને અંબા માતાજી મંદિરના નિર્માણ માટે ભવ્ય શિલાન્યાસ અને ઉછામણી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ 26 માર્ચ 2026ના રોજ, ગુરુવારે, શ્રી 31 ગામ કડવા પાટીદાર સમાજ વાડી, સધીમાં મંદિર પાસે, ગઢામણ રોડ પર યોજાશે. રામ સેવા સમિતિ તથા સમસ્ત હિંદુ સંગઠનોના સંયુક્ત આયોજન હેઠળ યોજાતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠીઓ, વેપારી સંગઠનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપશે. આ પ્રસંગે ત્રણેય મંદિરોના ભવ્ય નવ નિર્માણના કાર્યનો સાક્ષી બનવાનો અવસર મળશે. સમિતિ દ્વારા જણાવાયું છે કે મંદિર નિર્માણ માટે પાયાનું પૂજન અને પથ્થર ઘડતરનું કાર્ય પહેલેથી જ પ્રગતિમાં છે. આ સાથે જ દાતાઓ માટે દાન અર્પણની વ્યવસ્થા પણ શરૂ કરી છે, જેમાં QR કોડ દ્વારા સરળતાથી દાન આપી શકાય છે. આગામી 24 એપ્રિલ 2026ના રોજ વૈશાખ સુદ-8ના શુભ દિવસે મુખ્ય શિલાન્યાસ વિધિ યોજાશે, જેમાં ત્રણ મુખ્ય આધારશિલા તથા 24 ઉપશિલાઓનું સ્થાપન કરાશે. દરેક આધારશિલા સાથે ભાગ્યશાળી દાતાનું નામ તામ્રપત્રમાં નોંધાશે. ધાર્મિક વિધિમાં નવ દિશાઓના દેવતાઓનું વિશેષ સ્થાન દર્શાવતું શાસ્ત્રીય આયોજન પણ કરવામાં આવ્યું છે, જે આ કાર્યક્રમને વધુ પવિત્રતા અને વૈભવ આપે છે. સમિતિએ તમામ સનાતન હિંદુ સમાજને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.સમિતિએ જણાવ્યું કે આ પ્રસંગ માત્ર મંદિર નિર્માણ નહીં પરંતુ સંસ્કાર અને સનાતન ધર્મના પ્રસાર માટેનું મહત્વપૂર્ણ પગલું છે. 24 શિલાઓ માટે પ્રારંભિક દાનની રકમ 2,51,000 શિલાન્યાસ અને દાનની મુખ્ય વિગતો ત્રણેય મંદિરોના નિર્માણ માટે દાન વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્ય આધારશિલા માટે ભગવાન રામ, લક્ષ્મણ-સીતા અને જગન્નાથજીની મૂર્તિઓ માટે નિશ્ચિત રકમ નક્કી કરી છે. ઉપરાંત અંબા માતાજી માટે પણ અલગ ચડાવો રાખ્યો છે. કુલ 24 ઉપશિલાઓ માટે પ્રારંભિક દાન રકમ 2,51,000 થી શરૂ થાય છે. દરેક દાતાનું નામ તામ્રપત્રમાં લખીને શિલા સાથે સ્થાપિત કરાશે . ધાર્મિક વિધિ અને વિશેષતા શિલાન્યાસ વિધિમાં નવ દિશાઓના દેવતાઓનું શાસ્ત્રીય વિધાન અનુસાર સ્થાપન કરાશે. દરેક દિશાને અનુકૂળ પ્રતિકો જેમ કે ત્રિશૂલ, વજ્ર, ગદા, અંકુશ વગેરેનો સમાવેશ થાય છે. મધ્યભાગમાં વિશેષ સ્તંભોની રચના દ્વારા સમગ્ર વિધિ પૂર્ણ થશે.
    Click here to Read More
    Previous Article
    ઈડર બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવની દાદાગીરી‎:હિંમતનગરમાં આપ નેતાએ બાઈક સવારને ટક્કર મારીને ધમકી આપી
    Next Article
    લોકમેળાને લઈને આયોજન:બહુચરાજી ચૈત્રી મેળામાં એક્સ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસૂલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment