Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જેમ જેમ હેસિયત વધે, તેમ તેમ દુશ્મનો પણ વધે':કંગના રનૌતનો 'ડોન 3' વિવાદમાં રણવીરને ટેકો- 'મને પણ બધાએ બૅન કરી હતી, એનાથી કોઈ ફરક નથી પડતો'

    1 day ago

    ફિલ્મ 'ડોન 3' માંથી રણવીર સિંહના અચાનક બહાર થવાને કારણે અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ તેના પર બૅન લગાવી દીધો છે. હવે FWICEના અસહયોગ આદેશ વચ્ચે એક્ટ્રેસ કંગના રનૌતે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. મંગળવારે પોતાની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ના ટ્રેલર લોન્ચ પર પહોંચી હતી. કંગનાને જ્યારે રણવીર સિંહ પર લાગેલા કથિત પ્રતિબંધ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે જીવનમાં આગળ વધવા પર અવરોધો આવે જ છે. કંગનાએ કહ્યું કે, તેના પર પણ પહેલા ઘણા લોકોએ પ્રતિબંધ મૂક્યા હતા, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. ‘હેસિયત વધે છે તો દુશ્મન પણ વધે છે’ 'કંગના રનૌતે ઇવેન્ટ દરમિયાન રણવીર સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું, 'તમે મને આ પ્રશ્ન પૂછી રહ્યા છો, મને તો બધાએ બૅન કરી છે. હું એ જ કહેવા માંગીશ કે, જ્યારે તમારી હેસિયત વધે છે, તો તમારા દુશ્મન પણ વધે છે. એવું ક્યારેય ન થઈ શકે કે તમારી હેસિયત વધે અને દુશ્મન ન વધે. આજે રણવીર સિંહે વિચારવું જોઈએ કે તેમની શું હેસિયત છે કે તેમના આટલા દુશ્મન બની ગયા છે. આ એક રીતે સારું જ છે.' 'અવરોધોથી કોઈ ફરક પડતો નથી' કંગનાએ પોતાના જીવનનું ઉદાહરણ આપતા આગળ કહ્યું કે, 'જ્યારે તમે જીવનમાં આગળ વધો છો, ત્યારે ઘણી મુશ્કેલીઓ આવે છે. રસ્તો હંમેશા સરળ ન હોઈ શકે. મારી સાથે તો આટલું બધું થયું છે, પણ જુઓ આજે હું સારું કામ કરી રહી છું. મારી ગાડી પણ સારી ચાલી રહી છે. એટલે આ વસ્તુઓથી કોઈ ફરક પડતો નથી, સમયની સાથે બધું ઠીક થઈ જશે.' 'ડોન 3' છોડ્યા પછી વિવાદ શરૂ થયો રણવીર સિંહ અને ફેડરેશન વચ્ચે આ વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે એક્ટરે અચાનક ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન 3' થી અલગ થવાનો નિર્ણય કર્યો. ફેડરેશનનો આરોપ છે કે રણવીરના આ નિર્ણયથી ફિલ્મનું શેડ્યૂલ ખોરવાઈ ગયું અને પ્રોડ્યુસર્સને 45 કરોડનું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. આ ફરિયાદ પછી FWICE એ 25 મેના રોજ રણવીર વિરુદ્ધ નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ જાહેર કર્યું હતું. જોકે આ કોઈ કાનૂની પ્રતિબંધ નથી, પરંતુ તેના કારણે ફિલ્મના શૂટિંગ દરમિયાન લોજિસ્ટિક્સ અને કામદારોને એકઠા કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે કંગના રણવીર સિંહના મુદ્દા પર ટિપ્પણી કરવા ઉપરાંત કંગના આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. મંગળવારે આ જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું, જ્યાં તે મીડિયા સાથે રૂબરૂ થઈ. કંગના ફિલ્મોની સાથે રાજકારણમાં પણ સક્રિય છે. ઇવેન્ટ દરમિયાન તેણે પોતાની ફિલ્મ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર પણ ખુલીને પોતાની વાત રજૂ કરી.
    Click here to Read More
    Previous Article
    Pelé’s 1958 final jersey is to be auctioned and estimated to be sold at price of 5.7 crores
    Next Article
    દશાંશ નારાયણ યજ્ઞમાં ધારાસભ્ય જગદીશ મકવાણા સન્માનિત:સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અને દેવભાષાના જતન કાર્યક્રમમાં ઉપસ્થિત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment