Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાગડીયામાં 3 વાજબી ભાવની દુકાનોમાં 50 કટ્ટા જથ્થાની ગેરરીતિ:સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી, કૂપન-પ્રિન્ટરનો અભાવ, નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસમાં ઘટસ્ફોટ

    22 hours ago

    ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા તથા મૂળીના મામલતદાર દ્વારા મૂળી તાલુકાના વાગડીયા ગામમાં આવેલી ત્રણ વાજબી ભાવની દુકાનો (FPS) - વાગડીયા-1, વાગડીયા-2 અને ભવાનીગઢ - પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ત્રણેય FPSનું સંચાલન રાજેશકુમાર રસિકલાલ રાજદેવ દ્વારા કરવામાં આવતું હતું. તેમને એક FPS ઉપરાંત અન્ય બે FPSનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો. ભૌતિક જથ્થાની ચકાસણી કરતાં ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. તપાસમાં ઘઉંના 4 કટ્ટાની ઘટ, ખાંડના 27 કટ્ટાની ઘટ, તુવેર દાળના 2 કટ્ટાનો વધારો, ચોખાના 14 કટ્ટાનો વધારો અને ચણાના 4 કટ્ટાનો વધારો મળી આવ્યો હતો. કુલ મળીને અંદાજે 50 કટ્ટા જેટલા જથ્થાનો વધ-ઘટ નોંધાયો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું કે લાભાર્થીઓને નિયમ મુજબ ફરજિયાત કૂપન કે રસીદો આપવામાં આવતી ન હતી. FPS ખાતે કૂપન પ્રિન્ટ કરવા માટે જરૂરી પ્રિન્ટર પણ ઉપલબ્ધ નહોતું. દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ હતો, NFSA, BPL અને અંત્યોદય લાભાર્થીઓની યાદીઓ પ્રદર્શિત કરાઈ ન હતી. અનાજના નમૂનાઓ કે ભાવ અને જથ્થા અંગેના માહિતી બોર્ડ પણ નિયમ મુજબ નિભાવવામાં આવ્યા ન હતા. ઉપરાંત, અનાજનો જથ્થો અલગ-અલગ ત્રણ સ્થળોએ અવ્યવસ્થિત રીતે સંગ્રહિત કરાયો હતો અને તેની ગોઠવણી તથા સંગ્રહ નિયત ધોરણો મુજબ નહોતા. તપાસ દરમિયાન મળેલા મોટા પ્રમાણમાં વધેલા જથ્થા પરથી પ્રાથમિક દ્રષ્ટિએ એવી શંકા ઉપજે છે કે લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું અનાજ વિતરણ કરીને બાકી રહેલો જથ્થો ખુલ્લા બજારમાં વધુ કિંમતે વેચી ગેરકાયદેસર અંગત નફો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરોક્ત ગંભીર ગેરરીતિઓને ધ્યાનમાં લઈને TPDS (ટારગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ) કંટ્રોલ ઓર્ડર અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955ની સંબંધિત જોગવાઈઓ હેઠળ FPS સંચાલક રાજેશકુમાર રસિકલાલ રાજદેવ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધારાનો મળી આવેલો જથ્થો નિયમ મુજબ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પ્રચલિત નિયમો અનુસાર ચાલુ છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની જાહેર વિતરણ પ્રણાલી ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટેની અત્યંત મહત્વપૂર્ણ યોજના છે. તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, અનિયમિતતા કે લાભાર્થીઓના હક્કના અનાજમાં છેડછાડ બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે આવી આકસ્મિક તપાસો સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં ધો-10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંક્યો:માસૂમનો કાનનો પડદો ફાટી જતાં ઓપરેશનની નોબત, પિતાએ સ્કૂલ પાસેથી ઓન-રેકોર્ડ લેખિત જવાબદારી માંગી
    Next Article
    ગોધરામાં 4000થી વધુ વિદ્યાર્થીઓને CPR તાલીમ અપાઈ:લોક વિજ્ઞાન કેન્દ્ર અને રેડ ક્રોસ દ્વારા આયોજન, 20 સત્રો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment