Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સનાથળમાં યુવકની હત્યા:સામાન્ય ઝઘડામાં સમાધાન માટે ઘરે બોલાવી પાંચ આરોપીઓએ હુમલો કરતા ઘટનાસ્થળે મોત, પિતા-પુત્રની ધરપકડ; 3 ફરાર

    6 hours ago

    અમદાવાદ જિલ્લાના સનાથળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર કારમાં લિફ્ટ આપવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં એક આશાસ્પદ યુવાન દેવેન્દ્રસિંહ ચૌહાણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ કેસમાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. શું હતો સમગ્ર મામલો? ઘટનાની વિગત મુજબ, ગત 10મી તારીખે સાંતેજ ખાતે મૃતક દેવેન્દ્રસિંહ ચૌહાણ અને ભરત ઠાકોર વચ્ચે કારમાં લિફ્ટ માંગવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝઘડાનું સમાધાન કરવા માટે દેવેન્દ્રસિંહના મિત્ર અને ભરત ઠાકોરના સગા ભાઈ ચેહર ઠાકોરે મધ્યસ્થી કરી હતી અને દેવેન્દ્રસિંહને સનાથળ ગામના ઠાકોર ફળિયામાં પોતાના ઘરે સમાધાન માટે બોલાવ્યો હતો. સમાધાનને બદલે ખૂની ખેલ ખેલાયો જ્યારે દેવેન્દ્રસિંહ સમાધાનની આશા સાથે ચેહર ઠાકોરના ઘરે પહોંચ્યો, ત્યારે વાતચીત દરમિયાન મામલો વધુ બિચક્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ અથવા ઉશ્કેરાટમાં આવીને ભરત ઠાકોર, ચેહર ઠાકોર, બાબુ ઠાકોર અને પરિવારની બે મહિલાઓ આ પાંચેય વ્યક્તિઓએ મળીને દેવેન્દ્રસિંહ પર છરી વડે હિંસક હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે દેવેન્દ્રસિંહનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આરોપી પિતા-પુત્રની ધરપકડ ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે મુખ્ય આરોપી ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે, મુખ્ય વિવાદ કરનાર ભરત ઠાકોર અને અન્ય બે મહિલાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર 3ને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. સામાન્ય લિફ્ટ જેવી બાબતમાં યુવકની હત્યા થતા સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં PMના હસ્તે સરદારધામ-3નું લોકાર્પણ:PMએ કહ્યું લોકો પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે, ઓફિસમાં વર્કફ્રોમ હોમ અને સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવવા અપીલ
    Next Article
    ફાયરિંગની ઘટનામાં પ્લોટમાં દાટેલા હથિયારોનો ભેદ ઉકેલાયો:રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં હથિયારો છુપાવનાર સાગરીતોને દબોચ્યા, આરોપીઓનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment