Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેલનાથપરામાં 3 દિવસથી જીવાત-ઇયળોવાળા પાણીનું વિતરણ:મનપાના ક્લોરિનેશનના દાવા પોકળ; સ્થાનિક મહિલાએ કહ્યું-પીવું તો દૂર, વાપરવા લાયક પણ નથી

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં શુદ્ધ અને ક્લોરિન યુક્ત પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે. શહેરમાં દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદો સતત વધી રહી છે. તાજેતરમાં જ વોર્ડ નંબર 10ના જીવનનગર સહિતની 10 સોસાયટીઓમાં દૂષિત પાણીના વિરોધમાં સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા. ત્યારે હવે વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ આખેઆખા વેલનાથપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી નળ વાટે જીવાતવાળું અને ભારે દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ બાબતે રોષે ભરાયેલી મહિલાઓ પાણીના વાસણો સાથે મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને મનપા પ્રશાસન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીવું તો દૂર, ઘરકામમાં વાપરવા લાયક પણ પાણી નથી: મહિલાઓ વેલનાથપરા વિસ્તારની આક્રોશિત મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘરોમાં જે પાણી આવી રહ્યું છે તેમાં નરી આંખે જોઈ શકાય તેવી જીવાતો અને ઇયળો તણાતી આવે છે. પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હોવાથી આ પાણી રસોઈ કરવા કે પીવાના ઉપયોગમાં લેવું તો દૂર, કપડાં-વાસણ કે અન્ય ઘરકામમાં વાપરવા લાયક પણ રહ્યું નથી. છેલ્લા 3 દિવસથી આખો વિસ્તાર આ નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે, પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ક્લોરિનેશનની કામગીરી માત્ર કાગળ પર: પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરાએ મનપાની વોટર વર્કસ શાખા પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વેલનાથપરામાં છેલ્લા ત્રણ દિવસથી જીવાતવાળું પાણી વિતરણ થઈ રહ્યું છે, જે જરાપણ વાપરવા યોગ્ય નથી. કોર્પોરેશન દ્વારા શુદ્ધ પાણીના અપાતા આશ્વાસનો માત્ર કાગળ પર જ છે. મનપા તંત્રને આ અંગે સત્તાવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ત્રણ દિવસથી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ પ્રકારના ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં પણ અહીં ઘરે-ઘરે તાવ અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓ ખાટલે પડ્યા છે. તેમણે તંત્ર પાસે આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. દૂષિત પાણીની સાથે ગંદકી અને કચરાના ઢગલાથી નાગરિકો ત્રાહિમામ પૂર્વ કોર્પોરેટરે વધુમાં ઉમેર્યું કે, "આ પછાત અને શ્રમિક વિસ્તારમાં માત્ર પીવાના પાણીની જ સમસ્યા છે એવું નથી, પરંતુ સફાઈ વ્યવસ્થાની પણ એટલી જ ઘોર બેદરકારી લાંબા સમયથી પ્રવર્તી રહી છે. સમગ્ર વિસ્તારમાં કાયમી ધોરણે ઠેર-ઠેર ગંદકી અને કચરાના મોટા ઢગલાઓ જોવા મળે છે, જેના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. મહાનગરપાલિકાના સફાઈ કામદારો પોતાની ફરજ પ્રત્યે જરાય ગંભીર નથી અને મન ફાવે ત્યારે જ સફાઈ કરવા આવે છે. કચરો ઉપાડતી ટીપર વાન (ગાડીઓ) પણ નિયમિત આવતી ન હોવાથી શ્રમિક પરિવારોનું જીવવું મુશ્કેલ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    IPL એલિમિનેટરમાં આજે હૈદરાબાદ vs રાજસ્થાન:SRH કેપ્ટન કમિન્સે ટૉસ જીતીને બોલિંગ લીધી, વૈભવ સૂર્યવંશી પાસે ગેલનો રેકોર્ડ તોડવાની તક
    Next Article
    ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા:જિલ્લામાં છેલ્લા બે વર્ષથી તરખાટ મચાવતી કુખ્યાત ચિખલીગર ગેંગનો પર્દાફાશ, 23 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment