Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 3 આરોગ્ય રથનું લોકાર્પણ:કલેક્ટર ભવ્ય વર્માના હસ્તે શ્રમિકોને સ્થળ પર જ સારવાર

    1 week ago

    વલસાડ જિલ્લામાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના હસ્તે ત્રણ નવા આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ રથોમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા બે ધન્વંતરી આરોગ્ય રથ અને એક આરોગ્ય સંજીવની રથનો સમાવેશ થાય છે, જે હવે જિલ્લામાં કાર્યરત બન્યા છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને સીધા બાંધકામ સ્થળે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. આ આરોગ્ય રથોના માધ્યમથી શ્રમિકોને બાંધકામ સાઇટ્સ પર જ સારવાર, તબીબી તપાસ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન મળી રહેશે. આનાથી તેમને હોસ્પિટલ સુધી જવામાં લાગતો સમય અને થતો ખર્ચ બંનેમાં નોંધપાત્ર રાહત મળશે. આ લોકાર્પણ પ્રસંગે ગર્વમેન્ટ લેબર ઓફિસર નિરવ પરમાર, પ્રોજેક્ટ મેનેજર ભાવિકાબેન ભૂસારા, રીનલભાઈ પી. ચૌધરી, કૃતિકભાઈ એન. પટેલ અને મોબાઇલ હેલ્થ યુનિટના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પ્રવિણ ભારતભાઈ ગોલતકર સહિત મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ નવી પહેલને કારણે વલસાડ જિલ્લામાં બાંધકામ શ્રમિકોની આરોગ્ય સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું: VIDEO:રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લેવા હજારોની સંખ્યા ઉમટી; ગાડીઓમાં તોડફોડ, હાઈવે બ્લોક
    Next Article
    Bhabhar Chaudhary Samaj Meeting News: ચૌધરી સમાજની મહાપંચાયતમાં થયો હોબાળો | Rabari | Love Marriage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment