Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદમાં 23 માર્ચે વીરાંજલિ ડાયરો યોજાશે:સાંઈરામ, કિર્તીદાન અને માયા આહીર સહિતના કલાકારો શહીદ ગાથા રજૂ કરશે, જાણો કેવી રીતે ભાગ લઈ શકશો

    6 days ago

    ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાણંદ (બકરાણા) ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાના કાર્યક્રમ એવા વીરાંજલિ 2.5 ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વીરાંજલિ સમિતિ અને GTPL દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભકિત અને શહીદોના બલિદાનોની ગાથા રજૂ કરતા આ કાર્યક્રમમાં ગુજરાત ભરના યુવાનોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. લોકો કાર્યક્રમના પાસ મેળવવા માટે https://forms.gle/ECv8gB5T59TFtWyE9 પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. સાણંદ અને કર્ણાવતી ક્લબ ખાતે પણ આ કાર્યક્રમના પાસ મેળવી શકાશે. 23 માર્ચ, શહિદ દિન ભાજપના પૂર્વ મહામંત્રી અને કાર્યકર્તા તેમજ વીરાંજલિ સમિતિના વડા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપેલી ત્યારે શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને 'શહીદ દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. વસ્ત્રાપુરથી વિરાંજલીની શરૂઆત સાણંદ ખાતે દર વર્ષે દેશભકિતની અને શહીદોના બલિદાનની ગાથા રજૂ કરતો કાર્યક્રમ કરવામાં આવે છે. વસ્ત્રાપુર તળાવ ખાતેથી વિરાંજલીની શરૂઆત કરવામાં આવી હતી. જે ધીમે ધીમે મલ્ટી મીડિયા શો અને ડાયરા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાંતિવીર બલિદાનની ગાથા કલાકારો રજુ કરશે આ કાર્યક્રમમાં દર વર્ષે નવા નવા ક્રાંતિવીરોને જોડવામાં આવે છે. આ વર્ષે ભગતસિંહના બલિદાનના 20થી 25 વર્ષ પહેલા બલિદાન આપનારા રાજસ્થાનના એક પરિવારના કેસરી સિંહજી બારડ અને પ્રતાપસિંહજી બારડે બલિદાન આપ્યું હતું. આવા અનેક ક્રાંતિવીરોનું બલિદાનની ગાથા ખ્યાતનામ કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. ડ્રોન શો, મેર રાસ અને તલવાર રાસ વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શોર્યગાથાને રજૂ કરશે. ત્યારે આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જી.ટી.પી એલ. આયોજીત 'વીરાંજલિ 2.5'માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દિકરીઓનો તલવાર રાસ તેમજ શહિંદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લીખીત આરતી વીર જવાનો કીમાં આકાશમાં થનારો ભવ્યાતીભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. અંદાજે 40થી 50 હજાર લોકો આ કાર્યક્રમમાં જોડાશે. આ ખ્યાતનામ કલાકારો ગાથાને રજૂ કરશે આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે. સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘરબેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ Viranjaliofficial Youtube ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત આજની નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઈતિહાસ સાંભળવા અને જોવામાં રસ છે ત્યારે આ મંચ દ્વારા તેઓ સુધી આ ઇતિહાસ પહોંચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશ ભક્તિના આ કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિ દ્વાર ગુજરાત ભરના યુવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈપણ ફી રાખવામાં આવી નથી પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીને પરત લાવવા ભાભરમાં ચૌધરી સમાજનું મહાસંમેલન:'5 દિવસમાં નહીં આવે તો આગળની રણનીતિ નક્કી થશે'; રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરતાં વિવાદ વકર્યો
    Next Article
    ડોક્ટરને NDPS કેસમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ:IB પોલીસની ખોટી ઓળખ આપનારા 6 આરોપી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment