Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના 3 વોર્ડમાં અશાંત ધારો લાગુ કરવા માંગ:નગરપાલિકાના દંડકે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને લેખિત રજૂઆત કરી

    1 सप्ताह पहले

    પાટણ નગરપાલિકાના દંડક મનીષાબેન પ્રજાપતિએ શહેરના વોર્ડ નંબર 8, 9 અને 10 વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી આ વિસ્તારોની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ તેમજ શાંતિ જાળવી રાખવા માટે કાનૂની પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી છે. આ વિસ્તારોમાં અનેક અતિ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. આ મંદિરો હિન્દુ ધર્મની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ કેન્દ્રો છે. વર્ષોથી અહીં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું જતન થતું આવ્યું છે, અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. વોર્ડ નંબર 8, 9 અને 10 માં નવરાત્રી મહોત્સવ, હોળી-ધુળેટી, રામ નવમી અને ચૈત્રી નવરાત્રી જેવા વિવિધ ધાર્મિક તહેવારો ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. આ ઉજવણીઓ વિસ્તારની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. હાલની લોકસાંખ્યિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સામાજિક સમરસતા, શાંતિ અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. મનીષાબેન પ્રજાપતિએ રાજ્ય સરકારને આ બાબતે જરૂરી સર્વે અને કાનૂની પ્રક્રિયા હાથ ધરીને યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના મેયર- સ્ટેન્ડિંગ ચેરમેન કોણ બનશે?:પદાધિકારીઓનો આવતીકાલે ફેંસલો, ચેરમેનનું પાવરફુલ પદ મેળવવા ભારે રસાકસી
    Next Article
    Gandhinagar News | PM મોદીની અપીલ બાદ ઋષિકેશ પટેલનો નિર્ણય | Gujarati Samachar |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment