Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં યુવકની હત્યા મામલે ત્રણ ઝડપાયા:મૃતક અને ત્રણ મહિલાઓએ હનીટ્રેપ કરી પૈસા માગતા હોવાની આરોપીએ 3 દિવસ પહેલા અરજી કરી હતી

    14 hours ago

    રાજકોટ શહેરમાં 16 માર્ચે દલિત યુવકની હત્યાના બનાવ બાદ દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા મામલો તંગ બન્યો હતો. રાત સુધી પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને મોડી રાતે મામલો થાળે પડ્યો હતો. ભાવેશ વાણવી નામના યુવકની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સોમવારે હોસ્પિટલ ચોકમાં હોબાળો મચાવી પોલીસને ધક્કે ચડાવી ધમકી આપનારા દલિત સમાજના ત્રણ આગેવાનો સામે પણ પોલીસે ફરજમાં રુકાવટનો ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ મૃતક અને ત્રણ મહિલાઓ સામે એક આરોપી દ્વારા ત્રણ દિવસ પહેલા જ રાજકોટ પોલીસ કમિશનરને એક અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક અને મહિલાઓએ આરોપીને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માગણી કરાતી હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે. ભાવેશ વાણવીની હત્યા મામલે ત્રણ ઝડપાયા, બેની શોધખોળ રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવેશ વાણવી નામના યુવકની થયેલ હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ શહેર LCB ઝોન 2 ટીમ તપાસમાં હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળા સામે મફતિયાપરામાં રહેતા આરોપી ત્રણ સગા ભાઈઓ રવિ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.33), સાગર મેરાભાઈ જોગરાણા (ઉ.વ.26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.22)ની ધરપકડ કરી ફરાર બે આરોપી હમીર અને લાલો ફરાર હોય જેથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાં કર્યા છે. પોલીસની ફરજમાં રુકાવટ કરનારા દલિત સમાજના 3 આગેવાનો સામે ફરિયાદ 16 માર્ચે ભાવેશ વાણવીની હત્યાના બનાવ બાદ પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો દ્વારા જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. મૃતદેહને રાજકોટના હોસ્પિટલ ચોક લઈ જવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI સંજય દાફડાએ જણાવ્યું હતું કે,16 માર્ચે રાત્રિના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે દિલીપ ઉર્ફે ડી ડી સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડાએ ગેરકાયદે મંડળી રચી હતી જેને વિખેરાઈ જવા માટે પોલીસે સૂચના આપી હતી આમ છતાં તેઓ વિખેરાતા ન હોવાથી તેઓને ડિટેઇન કરવા પોલીસ કામગીરી કરી રહી હતી. ત્યારે આ ત્રણેય આગેવાનો ઉપરાંત અન્ય 15થી 20 લોકોએ ફરિયાદી સંજય દાફડાને ધક્કે ચડાવી નીચે પછાડી ફરજમાં રુકાવટ કરી હતી. એટલું જ નહિ આ દરમિયાન દિલીપ ઉર્ફે ડી ડી સોલંકીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હમીર દ્વારા 3 દિવસ પહેલા મૃતક સામે પોલીસ કમિશનરને અરજી કરી હતી આરોપી હમીર જોગરાણાએ રાજકોટ શહેર પોલીસ કમિશનરને સંબોધી ત્રણ દિવસ પહેલા મૃતક ભાવેશ વાણવી અને ત્રણ મહિલાઓ વિરુધ્ધ એક લેખિત અરજી કરી હતી જેમાં ભાવેશ અને ત્રણેય મહિલાઓ તેમની સાથે હનીટ્રેપ કરી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજીમાં હમીરએ જણાવ્યું હતું કે, મારા ભાઈનો શેરડીના રસનો ચીચોંડો જલારામ ચોક ખાતે આવેલ છે ત્યાં બેઠા હતા ત્યારે એક કૃપાલી નામની મહિલા જેતપુર જવા માટે ભાડાની ગાડી શોધતા હતા ત્યારે મારી ભાડાની ગાડી બાંધી રૂ.2500માં જેતપુર જવા નક્કી કર્યું હતું. જેતપુર જતા હતા ત્યારે તેને મારી પાસે ઇન્સટાગ્રામ આઈ.ડી. માંગ્યું હતું અને બાદમાં તેણે મને મેસેજ કરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ મેં કોઈ જ જવાબ આપ્યો ન હતો અને કોલ મેસેજ કરવાની ના પાડી હતી. તેમજ જેતપુર પહોચી જણાવ્યું કે બેંકમાં 10-15 મિનિટ બેસો હમણાં આવું છું. ત્યારબાદ પરત જલારામ ચોક રાજકોટ ખાતે આવી ભાડું માંગતા ભાડું હમણાં આવી ને આપુ છું કહી ચાલ્યા ગયા હતા. આ પછી ભાવેશ વાણવી તથા અજાણ્યા બે-ત્રણ લોકો બુલેટ તથા એક્સેસમાં આવી મને કહેવા લાગ્યા કે, 'તે મારી ઘરવાળીની છેડતી કરી છે' માટે ખોટી ફરિયાદ કરવા ધમકી આપી રૂ.5 લાખની માંગણી કરી હતી તેમજ છરી બતાવી મારી ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને 5 લાખ નહી આપ તો જાનથી મારી નાખીશું અને મારી ઘરવાળીના કપડા ફાડી તારા પર છેડતી અને દુષ્કર્મના ખોટા કેસ કરી ફીટ કરાવી દઈસ. આ સમયે ભાવેશએ પ્રેસમાં હોવાનું જણાવી ખોટી રીતે બદનામ કરવા વિડીયો વાયરલ કર્યો હતો. કૃપાલી નામની મહિલા તથા અજાણી સ્ત્રીઓ જલારામ ચોકમાં મારા ભાઈના રસના ચિચોડે આવી અગાઉથી પ્લાન બનાવી બીજા લોકોને ઇસારા કરીને બોલાવી ખોટી ફરિયાદો કરી હતી તેમજ મારા ભાઈના ચિચોડાની RMCમાં ખોટી ફરિયાદ કરી ખોટી રીતે હેરાન કરે છે. અગાઉ પણ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી ત્યારે સમાધાન કરી લીધું હતું અને ત્યારબાદ પણ ફરી ધમકી ભર્યા ફોન કરી ભાડું આપવાની બદલે ખોટા કેસ કરવાની ધમકીઓ આપી ભાડું ના ચૂકવી પૈસાની માંગણી કરતા હનીટ્રેપ કરી ફસાવવાની ધમકીઓ આપી પૈસાની માંગણી કરવામાં છે. ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે 4 લાખ આપી દે તો પણ ફરિયાદ નહિ કરીએ પરંતુ મેં આવો કોઈ ગુનો કરેલ જ ન હોવાથી પૈસા આપવાની ના પાડતા મને રૂબરૂ તથા ફોનમાં ધમકીઓ આપી કહ્યું હતું કે હવે તારાથી થાય તે કરી લે, તારા પર ખોટી ખોટી ફરિયાદ કરી તારું જીવન બગડી નાખું અને તારે ફરિયાદ કરવી હોય તો કરી દેજે પોલીસ મારું કઈ નઈ બગાડી શકે,પોલીસ ને તો હું ખિસ્સામાં લઈ ને ફરું છું. માટે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા મારી માંગ છે. 15 તારીખે ભાવેશનું અપહરણ કરી હત્યા નિપજાવવામાં આવી હતી રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખસોએ કુહાડી અને પાઈપના ઘા મારી એક યુવકનું ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવેશ વાણવી નામના યુવકને ડ્રીમ સિટી પાસે માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ અડધો કિમી દૂર ગ્રીન સિટી તેને ફેંકીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકનું મોત થતાં પરિવાર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યો હતો. જ્યાં મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો તેમજ PM રૂમની બહાર દલિત સમાજે ધરણાં શરૂ કર્યા હતા.ત્યાર બાદ સમાજના આગેવાનોએ કલેક્ટરને મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરતું આવેદન પત્ર આપ્યું હતું. આ હત્યાને લઈ આક્રોશ અને આંસુ સાથે 15 કલાક સુધી વાતાવરણ તંગ બની રહ્યું હતું. તદુપરાંત દલિત સમાજના આગેવાનો અને યુવાનોએ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ચોકમાં રાખીને આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો. ટોળાએ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી મામલો તંગ બન્યો હતો. ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડી પરિવારને મૃતદેહ સાથે તેના વતન રવાના કર્યો હતો. મારો દીકરો સમાધાન માટે 2 લાખ રૂપિયા લઈને ગયો હતો- ગીતાબેન મૃતક ભાવેશના માતા ગીતાબેન વાણવીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, હું ઘરે આવી ત્યારે ભાવલાએ કહ્યું હું થોડીવારમાં આવું છું. અમને કોઈને બોલવા ન દે એવો મારો દીકરો હોશિયાર હતો. વીડિયો વાઈરલ કર્યો, એમાં એ લોકોએ વિશ્વાસઘાત કર્યો. ધમકી દઈ મારા દીકરા પાસે સમાધાન કરાવી લીધું. 2 લાખ રૂપિયા સમાધાન માટે લઈ ગયો હતો. વીડિયો કઢાવી નાખી છેતરીને મારા દીકરા પર ઘા કર્યો છે. મૃતક યુવક 15 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો મૃતક યુવાન ભાવેશ વાણવી વિરુદ્ધ ફોન પર ધમકી આપવા, ગાળાગાળી કરવા, ખોટી રીતે પૈસા માંગવા સહિતના ગુના નોંધાઈ ચુક્યા હોવાથી રાજકોટ પોલીસ દ્વારા તેના વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો અને 15 દિવસ પહેલા જ તે જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્માના ઝીલિયામાં ફાર્મ હાઉસ પર સશસ્ત્ર હુમલો, CCTV:8 ગાડીમાં 20 શખસ ધારીયા તલવાર સાથે ત્રાટક્યા, 112 જનરક્ષક વાનને નુકસાન; પોલીસે એક ગાડી સાથે 3 આરોપીને ડિટેઈન કર્યા
    Next Article
    આફતાબ હુસૈન અંસારી અને જે. જે. પટેલે વકીલોનો આભાર માન્યો:વકીલોના હિતાર્થ અને ટેક્નોલોજિકલ રીતે આગળ લઈ જવા કામ કરવાનું વિઝન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment