Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો ગુસ્સો ફૂટ્યો:બોપલની મુલાકાતે ગયેલા હિતેષ બારોટને ઘેરી લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો

    1 day ago

    વરસાદે વિરમ તો લીધો છે પરંતુ બોપલ ગામમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. ત્રણ દિવસથી લોકો વરસાદી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. જ્યારે આજે મેયર બોપલ ગામમાં પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને તેમને ઘેરી લીધા હતા. પાણી ભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ મેયરનો ઉધડો લીધો હતો. મોટી સંખ્યામાં મહિલાઓએ પણ મેયર સામે રોષ વ્યક્ત કર્યો હતો. બોપલ ગામમાં મેયરનો ઘેરાવ કરી જનતાએ રોષ ઠાલવ્યો અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સૌથી વધુ પ્રભાવિત બોપલ, ઘુમા અને શેલા વિસ્તારના લોકો થયા હતા. આજે મેયર હિતેષ બારોટ બોપલ ગામમાં પહોંચતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ મેયરનો ઘેરાવ કરી પ્રશ્નોને મારો ચલાવ્યો હતો. આ સમાચાર પણ વાંચોઃ 3 દિવસથી બોપલ, ઘુમા અને શેલામાં પાણી છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ બની છે. પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ઘુમા, શેલા અને વેજલપુર વિસ્તારમાં હજી પણ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. શહેરના બોપલ વિસ્તારમાં આરોહી ક્લબ રોડ પર આવેલા ભાગવત બંગલોઝ સહિત ગામની સોસાયટીઓમાં પણ હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. બોટ મારફતે બંગલોમાં અવરજવર કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હજી સુધી બંગલા અને રો હાઉસમાંથી પાણીનો નિકાલ કરી શકી નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો) અમદાવાદના બોપલ, ઘુમા, શેલા શા માટે ડૂબ્યા? અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત થઈ હોય તો તે બોપલ, ઘુમા અને શેલા વિસ્તારની છે. વરસાદની ગતિ ધીમી પડી હોવા છતા આ વિસ્તારના અનેક રસ્તાઓ અને સોસાયટીઓમાંથી હજી પાણી ઓસર્યા નથી. શહેરના પોશ ગણાતા વિસ્તાર કે જ્યાં ફ્લેટ અને બંગલોની કિંમત લાખો અને કરોડો રૂપિયામાં છે તે શા માટે ડૂબ્યા? વરસાદ ધીમો પડ્યા બાદ પણ પાણીનો નિકાલ ન થવા પાછળનું કારણ શું? આ સમસ્યા માટે કોણ જવાબદાર? આ તમામ સવાલોના જવાબ મેળવીશું ભાસ્કર એનાલિસિસમાં. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Pune advocates seek probe into ‘excessive’ police action against student protesters
    Next Article
    રોટરી ક્લબ 'છોટી કાશી' દ્વારા નાઘેડી શાળામાં લાઇબ્રેરીનું લોકાર્પણ:500થી વધુ પુસ્તકો સાથે વિદ્યાર્થીઓને વાંચન માટે પ્રોત્સાહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment