Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકાર્પણ કરાયું:ભુજમાં 3 કરોડના ખર્ચે ‘જ્યોતિ કંચન’ સંકુલનું લોકાર્પણ

    17 hours ago

    શહેરના આરાધના ભવન જૈન સંઘના ઉપક્રમે કીર્તિચંદ્ર સુરીશ્વરજી તથા અન્ય સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં વાગડ સાત ચોવીસી જૈન સમાજના પરિવારોના આર્થિક સહયોગથી 3 કરોડના ખર્ચે નવનિર્મિત ‘જ્યોતિ કંચન’ સંકુલનું લોકાર્પણ કરાયું હતું. પ્રથમ ચરણમાં પરમાત્મા ભક્તિનો મહોત્સવ બાદ સંઘ વાજતે-ગાજતે સંભવનાથ જિનાલયથી સંકુલ સુધી યાત્રા કરી પહોંચ્યો હતો. અહીં પ્રવચન અને મંત્રોચાર વચ્ચે ‘દિવાળીબા હોલ’, લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ હોલ, લિફ્ટ સહિત વિવિધ રૂમો અને ઓફિસનું દાતા પરિવારોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ સંકુલનો મુખ્ય લાભ માતા જ્યોતિબેન એ.ડી. મહેતા પરિવાર અને માતા કંચનબેન સી.ડી. મહેતા પરિવારે લીધો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ઉપાશ્રય ‘દિવાળીબા હોલ’નો લાભ રાપરના મહેતા મણિલાલ હરચંદભાઈ પરિવારે લીધો હતો, જ્યારે પ્રથમ માળ પર આવેલા ઉપાશ્રય હોલનો લાભ વિજયાસરના લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ લોહરીયા પરિવારે લીધો હતો. લિફ્ટ, વિવિધ રૂમો તેમજ સુવર્ણ અને રજત સ્તંભોના લાભ પણ અનેક દાતા પરિવારો દ્વારા લેવામાં આવ્યા હતા. સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલ મહેતા અને મંત્રી ચંદુલાલ ગઢેચાએ જણાવ્યું હતું કે, સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંકુલ બે માળ અને કુલ 14 રૂમોનું નિર્માણ કરાયું છે. કીર્તિચંદ્ર સુરીશ્વરજીએ, સંઘની ધર્મ પ્રતિ પ્રતિબદ્ધતા અને સમાજની એકતાને બિરદાવતા સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સંઘ દ્વારા ચૈત્રી શાશ્વતી ઓળી કરાવવાનો લાભ સાંતલપુરના વિરુબેન છગનલાલ સંઘવી પરિવારે લેવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આગળના ચરણમાં સંકુલના દાતાઓ, આર્કિટેક્ટ અને કાર્યકરોનું સંઘના હોદેદારો તથા અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું હતું. સવારની નવકારસીનો લાભ દિવાળીબેન મણિલાલ હરચંદ મહેતા પરિવાર, જ્યારે જમણવારનો લાભ જ્યોતિ-કંચન પરિવારે લીધો હતો. કાર્યક્રમમાં મુંબઈ, કચ્છ-વાગડ, અમદાવાદ અને સુરત સહિતના સ્થળોથી આવેલા સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી અને મંત્રીના નેતૃત્વમાં સહમંત્રી રસિક સંઘવી, ટ્રસ્ટી મંડળ, સમાજના યુવા ગ્રુપના હોદેદારો તથા લાભાર્થી પરિવારોના સભ્યો સહિત સૌએ મહેનત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું મીડિયા સંકલન વી.જી. મહેતાએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની અસર:કચ્છના શિપિંગ ઉદ્યોગ પર ‘વોર’ની મહાઆફત
    Next Article
    ચૈત્રી નવરાત્રીને લઈને તડામાર તૈયારી:માતાનામઢમાં આવતીકાલે ઘટસ્થાપન સાથે ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો આરંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment