Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણુજાથી દર્શન કરી પરત ફરતાં ધાનેરાના યાત્રાળુનો અકસ્માત:રાજસ્થાનમાં ભારતમાલા રોડ પર નીલગાયને બચાવતાં સ્કોર્પિયો પલટી ગઈ, ઘટનાસ્થળે 3નાં મોત, 3ને ઈજા

    2 सप्ताह पहले

    રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા રોડ પર દુર્ઘટના બની છે. કાર સામે અચાનક નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા હતા. મૃતકના નામ ઈજાગ્રસ્તોના નામ અચાનક નીલગાય આડી ઉતરી પ્રાપ્ત વિગતો અનુસાર, ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાન સ્થિત રણુજા ખાતે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન પતાવીને તમામ લોકો કાર દ્વારા પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન ભારતમાલા હાઈવે પર એકાએક એક નીલગાય સ્કોર્પિયોની સામે આવી ગઈ હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો પલટી મારી ગઈ હતી. ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ અકસ્માત એટલો સર્જાયો હતો કે કારમાં સવાર થાવર ગામના 3 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. જ્યારે અન્ય 3 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ થાવર ગામ સહિત મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ‘ખતરોં કે ખિલાડી’માં વિશાલ સિંહની થશે વાપસી:કહ્યું- મારામાં ઘણી ખામીઓ હતી; મહેન્દ્ર સિંહ ધોનીની વાતે મને બદલ્યો
    Next Article
    નર્મદા જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:વેપારીઓ દ્વારા અછત દર્શાવાતા તંત્ર સક્રિય, કાળાબજારી અટકાવવા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment