Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રના ફોનથી સર્જાયેલી અપહરણની ગેરસમજે પોલીસ દોડાવી:પિતાનો પોલીસને પુત્રના અપહરણનો કોલ, 3 લેણદાર પોલીસ મથકે જ લઇ જતા મળ્યા

    11 hours ago

    કારેલીબાગ રહેતા પિતાએ પોલીસને કોલ કરીને 30 વર્ષીય પુત્ર પાર્થનું અપહરણ કરાયાની માહિતી આપતા પોલીસ દોડતી થઈ હતી. વૃદ્ધે પુત્રનું ગોત્રીથી અપહરણ થયાનું જણાવ્યું હતું. જોકે, ગોત્રી પોલીસે પાર્થ અને તેની સાથેના ત્રણ મિત્રોને શોધી કાઢતા તેઓ પાર્થને પોલીસ પાસે લઇ જતા હોવાનું અને મામલો નાણાકીય લેતી-દેતીનો હોવાનો ખુલાસો થયો હતો. પિતાના કોલ બાદ પોલીસે તપાસ કરતાં પાર્થનું લોકેશન ગોત્રીની મધર સ્કૂલ પાસે મળ્યું હતું. તેના માતા-પિતા ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે પાર્થને ગોકુળ પાર્ટી પ્લોટ નજીકથી 3 વ્યક્તિ સાથે શોધી તમામને પોલીસ સ્ટેશને લવાયા હતાં. જેમાં સામે આવ્યું કે, પાર્થે ઉછીના રૂ.75 હજાર નીતિન, યશ અને વિશાલ પાસેથી લીધા હતા, જે પરત કરતો નહોતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઈ હતી. રસ્તામાં પાર્થ મળતાં ત્રણેવ તેને પકડીને ગોત્રી પોલીસ સ્ટેશને લઇ જઇ રહ્યા હતા. પાર્થે બચવા માતાને ફોન કરી જાણકારી આપી હતી કે, મને પકડી લીધો છે, ગોત્રી પોલીસ સ્ટેશન લઈ જાય છે, જોકે બંને પક્ષે સમાધાન થઈ ગયું છે. એક નામની 4 સોસાયટીમાં પોલીસ ફરી, અન્ય ટીમ પાર્થનો ફોટો લઈને આખા વિસ્તારમાં શોધતી રહી પાર્થના અપહરણની જાણકારી મળી પરંતુ લોકેશન મળ્યું નહોતું. માતા પાસેથી પાર્થના મિત્ર નીતિનનું સરનામુ ગોત્રીની લાલજીકૃપા સોસાયટી હોવાનું જાણવા મળ્યું હતું. 3 કિમી વિસ્તારમાં તે નામને મળતી 4 સોસાયટીમાં ગોત્રી પોલીસ ફરી હતી. એક ટીમ નીતિનને શોધતી હતી. આખરે નીતિનની પત્ની મળી હતી. જ્યાં નીતિન ગોકુળ પાર્ટી પ્લોટ પાસે જ હોવાનું જણાતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને પાર્થને શોધી કાઢ્યો હતો. 3 લેણદાર પાર્થને પોર હાઈવેથી લઈ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    એફઆરસી સર્ટિ મુજબ જ ફી લઇ શકે‎:ઇન્ટરનેશનલ નામનો ઉપયોગ કરનારી શાળાઓ સામે કાંઈ ન થઈ શકે : તંત્ર
    Next Article
    તેરા તુજકો અર્પણ:419 લોકોને 2.30 કરોડની ચોરાયેલી-પડાવી લેવાયેલી મતા પરત અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment